Connect Gujarat
Featured

કચ્છ : રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત,3 ના મોત

કચ્છ :  રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત,3 ના મોત
X

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગઅકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પલાસવાથી સામખિયાળી તરફ આવતી બસની સામે જીપ ધડાકાભેર અથડાઈ હતી. જીપમાં સવાર 3 લોકોના મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા રાધનપુર સારવાર માટે ખસેડાયા હતા.

પલાસવાથી ગાગોદર જતા રોડ પર એસ્સાર પંપ નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાગોદરથી સામખિયાળી તરફ આવતી એસટી બસની સામે જીપ અથડાઈ હતી. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

Next Story