ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ચેરમેન પદે એમ.એસ.ડાગુર ની નિયુક્તિ
BY Connect Gujarat30 July 2016 11:10 AM GMT
X
Connect Gujarat30 July 2016 11:10 AM GMT
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ના અધ્યક્ષ પદે એમ.એસ.ડાગુર ની નિયુક્તિ કરવામાં આવી છે.
વન અને પર્યાવરણ વિભાગ ના પ્રિન્સિપાલ સેક્રેટરી પૂનમચંદ પરમાર પાસે GPCB ના ચેરમેન નો વધારાનો હવાલો હતો પરંતુ તેઓની બદલી અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ માં કરવામાં આવતા હવે તેઓના સ્થાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ના ચેરમેન તરીકે એમ.એસ.ડાગુર ની નિમણુંક કરી ને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
એમ.એસ.ડાગુર વન અને પર્યાવરણ વિભાગ માં ચીફ સેક્રેટરી છે તેઓને રાજ્ય સરકાર દ્વારા GPCB ના ચેરમેન નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Next Story