Connect Gujarat
ગુજરાત

મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પ્રતીક ઉપવાસનો આજે ત્રીજો દિવસ !!!

મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પ્રતીક ઉપવાસનો આજે ત્રીજો દિવસ !!!
X

અગાઉ પાંચ જેટલા ગોડાઉન સળગી ગયા તેનો ફોરેન્સિક રિપોર્ટ સરકાર જાહેર કરી શકી નથી

રાજકોટ ખાતે શાપર જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનની બહાર ઉપવાસ શરૂ કર્યા છે. આ તકે તેમણે ગઈકાલે પેઢલા કૌભાંડમાં થયેલી ૨૨ની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અગાઉ પાંચ જેટલા ગોડાઉન સળગી ગયા તેનો ફોરેન્સિક રિપોર્ટ સરકાર જાહેર કરી શકી નથી. ત્યારે પેઢલા પ્રકરણમાં તો દબાણવશ સરકારે માછલીઓની ધરપકડ કરી છે. મોટા મગરમચ્છ હજુ પકડવાના બાકી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગઈકાલે મને ખ્યાલ આવ્યો કે રામરાજ્ય ગોડાઉનમાં આગ લાગી તેના અઠવાડિયા પહેલાં રોજ રાત્રે ટ્રકો માં બહાર જતી હતી. તો તે મગફળીનું પિલાણ ક્યાં થયું તે સરકાર જાહેર કરવુ જોઈએ. તેમજ જે ૪.૫ લાખ ટન મગફળી વેચી નાખ્યાનો સરકાર દાવો કરે છે તે તો કેટલાક ઓઈલમિલરો પર દબાણ કરીને પરાણે તળિયાના ભાવે વેંચાઈ છે. સરકાર વિરૂધ્ધ બોલી ન શકવાને કારણે વેપારીઓએ આ મગફળીની ખરીદી કરી હતી. બાકી રહેલી મગફળીમાં કેટલી માટી છે તેની તપાસ કરવાની માંગ પણ તેમણે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શાપરમાં ગત તારીખ ૬ મેના રોજ ૪ કરોડથી પણ વધુની મગફળી બળીને ખાખ થઈ હતી. જેની પ્રાથમિક તપાસ રાજકોટ ગ્રામ્યને સોંપાઈ હતી. બાદમાં આ તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી. અને આ કેસમાં હજુ સુધી એક પણ શખ્સની ધરપકડ સુધ્ધા કરાઈ નથી. આગામી ૬ ઓગષ્ટે આ બનાવને ૯૦ દિવસ પૂર્ણ થાય છે ત્યારે હજુપણ આ ઘટનાનના એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જે બાબત ખરેખર આ મામલે કશુંક રંધાયું હોવાની શંકા ઉભી કરી રહી છે.

Next Story