મોદી ગઠબંધન થી ડરી રહ્યા છે, આગામી લોકસભામાં કોંગ્રેસ તમામ બેઠકો જીતશે : અહેમદ પટેલ

New Update
મોદી ગઠબંધન થી ડરી રહ્યા છે, આગામી લોકસભામાં કોંગ્રેસ તમામ બેઠકો જીતશે : અહેમદ પટેલ

લોકસભા ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શુંરૂ થઈ ગયો છે કોંગ્રેસ પ્રદેશ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજનેતાઓએ હાજરી આપી. અહેમદ પટેલ, રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં અહેમદ પટેલે કહ્યું કે, અમે પૂર્ણ બહુમતીથી કોંગ્રેસને જીતાડીશું. તમામ ૨૬બેઠકો પર અમે જીતવાના પ્રયાસ કરીશું. વાયબ્રંટથી રાજ્યને શું ફાયદો થયો તેનો શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ.અહમેદ પટેલે ઉમેર્યું હતું કે પ્રદેશ કોંગ્રેસમાં મતભેદો દૂર કરાશે. નવુ સંગઠન જાહેર થયા બાદ નવી કારોબારી રચાશે. દેશની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે. સરકારને માત્ર ઈવેન્ટ મેનેજમેન્ટ કરતા આવડે છે.

રામ મંદિર મુદ્દે અહેમદ પટેલની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોર્ટનો જે પણ નિર્ણય હશે એ નિર્ણયને અમે સ્વીકારીશું એમને ઉમેર્યું હતું કે PM મોદી ગઠબંધન જોઈ ડરી ગયા એ સાફ દેખાય છે. મહત્વનું છે કે, આ બેઠકમાં ચૂંટણી અગાઉ પક્ષમાં વિખવાદ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં કાર્યક્રમો અને તૈયારીઓ અંગે વિચારણા કરવામાં આવશે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Latest Stories