નવસારી : 35 યુવાનો વિદેશમાં નોકરીની લાલચે છેતરાયાં : પોલીસે એક એજન્ટની કરી ધરપકડ

New Update
નવસારી : 35 યુવાનો વિદેશમાં નોકરીની લાલચે છેતરાયાં : પોલીસે એક એજન્ટની કરી ધરપકડ

હવામાં ઉડાન ભરવાના અભરખા અને વિદેશમાં કમાવવા જવાની ઘેલછામાં અમુક વાર રાતા પાણીએ ર વારો પણ આવે છે, ત્યારે નવસારીના 35 યુવાનો ગલ્ફ કન્ટ્રીમાં જઈને વિલા મોઢે પરત ફર્યા છે. આ તમામને નવસારીમાં આવેલ મિસ્ત્રી ટ્રાવેલ્સના સંચાલકે ભેરવ્યા છે, જેમાં મુખ્ય ભેજાબાજ વડોદરાનો છે. હાલતો નવસારી જિલ્લાની જલાલપોર પોલીસે એક એજન્ટને ઝડપ્યો છે, જ્યારે અન્ય એકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દક્ષિણ ગુજરાતના યુવાનો ખાસ કરીને પોતાનું વતન છોડીને પેટિયું રડવા વિદેશની ભૂમિ વધુ પસંદ કરતાં હોય છે. આપણા દેશ કરતા ત્યાંની ચલણની કિંમત વધુ હોવાના કારણે વધુ રૂપિયા કમાવવા જવા માટે એક વર્ગ વધ્યો છે. જેનો લાભ ખાટવા લેભાગુ એજન્ટોનો રાફડો ફાટ્યો છે.નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલ મિસ્ત્રી ટ્રાવેલ્સ નામની ઓફિસે ગલ્ફ કન્ટ્રીમાં જવાની ફિરાગમાં કેટલાક યુવાનો ભયંકર રીતે છેતરાયા છે. અહીંથી પ્લેનમાં તો બેસી ગયા અને ગલ્ફ કન્ટ્રીમાં ઉતર્યા બાદ વિઝા ફેક છે. એમ માલૂમ પડતા માથે હાથ દઈને બેસી જવું પડ્યું હતું. જ્યારે એજન્ટોએ આપેલ નંબરનો સંપર્ક પણ બંધ બતાવતા ગલ્ફ કન્ટ્રીમાં વસતા સગાની મદદથી પરત વતન આવ્યા હતા.

એજન્ટની આ બે જોડી ગલ્ફ વાંછુકોને ફેક વિઝા આપી 55 હજાર પડાવતા હતા. વિઝા હાથમાં આવતા નાચી ઉઠતા યુવાનો સંપૂર્ણ તૈયારીઓ કરીને વિદેશની નોકરી કરવાની સફરે નીકળી પડે છે, પરંતુ ગલ્ફ કન્ટ્રીના એરપોર્ટ પર કોઈ એજન્ટના વ્યક્તિઓ ન દેખાતા નિરાશાઓ ઘેરી વળી હતી. ઉપરાંત ત્યાંનું તંત્ર ફેક વિજાને લઈને ખદેડી મુકતા પરત વતન ફરવું પડ્યું હતું. ભારત આવતાની વારમાં જ પોલીસ ફરિયાદ કરતા મામલો ચગ્યો છે અને સ્થાનિક એજન્ટને ઝડપીને પોલિસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ

Latest Stories