અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પીએમ મોદી આજે ઘટનાસ્થળે પહોંચ્યા. અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ પછી તેઓ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારને પણ મળ્યા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ અકસ્માતમાં અવસાન થયું. પીએમ મોદીએ આજે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને પણ મળ્યા. પીએમ મોદીએ વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો. 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, “વિજયભાઈ રૂપાણીજીના પરિવારને મળ્યા. એ અકલ્પનીય છે કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી. હું તેમને દાયકાઓથી ઓળખું છું. અમે ખભે ખભો મિલાવીને કામ કર્યુંજેમાં સૌથી પડકારજનક સમયનો પણ સમાવેશ થાય છે. વિજયભાઈ નમ્ર અને મહેનતુ હતાપાર્ટીની વિચારધારા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ હતા.

પદ પર ઉદય પામતાતેમણે સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખંતપૂર્વક કામ કર્યું.” પીએમ મોદીએ આગળ લખ્યું, “રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંરાજ્યસભાના સાંસદ તરીકેગુજરાત ભાજપ પ્રમુખ તરીકે અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેતેમણે દરેક ભૂમિકામાં પોતાની આગવી ઓળખ બનાવી.

જ્યારે વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતાત્યારે પણ વિજયભાઈ અને મેં સાથે કામ કર્યું. તેમણે ગુજરાતના વિકાસને વેગ આપવા માટે ઘણા પગલાં લીધાંખાસ કરીને જીવનની સરળતાને પ્રોત્સાહન આપ્યું. અમારી વચ્ચેની વાતચીત હંમેશા યાદ રહેશે. આ દુઃખની ઘડીમાં મારા સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ.”