પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી
BY Connect Gujarat17 Oct 2020 3:26 AM GMT
X
Connect Gujarat17 Oct 2020 3:26 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે નવરાત્રિ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી હતી. નવ દિવસના મહોત્સવની આજથી શરૂઆત થઈ છે અને 26 ઓક્ટોબરના રોજ વિજયા દશમી અને દુર્ગા વિસર્જન સાથે સમાપ્ત થશે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું, 'નવરાત્રિના શુભ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જગત જનની મા જગદંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતા દી!
Next Story