રાજકોટઃ 50 મુસાફરો ભરેલી ST બસને નડ્યો અકસ્માત, બેના મોત

New Update
રાજકોટઃ 50 મુસાફરો ભરેલી ST બસને નડ્યો અકસ્માત, બેના મોત

માલિયાસણ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 6ને ઇજા

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ નજીક આજરોજ એક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત બે લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ઝાલોદ-જામનગર રૂટની આ બસમાં 50 મુસાફરો સવાર હતા.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ઝાલોદ-જામનગર રૂટની એસટી બસને આજરોજ રાજકોટનાં માલીયાસણ પાસે ટ્રક સાથે અકસમાત નડ્યો હતો. જેમાં નવીનચંદ્ર કનુભાઇ મકવાણા અને નરવત વેસ્તા તડવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દુલા નરવત, જીગા નરવત, દાદુસિંહ ચૌહાણ સહિત 6 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સમયે બસમાં 50 જેટલા મુસોફરો સવાર હતા. જેમાંથી 6 લોકોને ઇજા પહોચીં હતી. બનાવના પગલે પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી.