રાજકોટ : ઘરકંકાસ બાબતે પતિએ લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી પત્નીની કરી નાખી હત્યા..

સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.

New Update
રાજકોટ : ઘરકંકાસ બાબતે પતિએ લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી પત્નીની કરી નાખી હત્યા..

રાજકોટ હાઈવે નજીક શાપર-વેરાવળની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેન (ઉં.વ.49)ની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. હત્યા તેમના પતિએ જ કરી હતી. હત્યા કર્યા બાદ પતિ પ્રેમજી ગોવિંદ પરમાર (ઉં.વ.50) ઘરને તાળું મારી જૂનાગઢ ભાગી ગયો હતો. તેમજ મોટા પુત્રને ફોન કરી કહ્યું હતું કે તારાથી થાય એ કરી લેજે. જોકે શાપર પોલીસે તેને જૂનાગઢથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપીનું લોકેશન જૂનાગઢમાં મળતા શાપર પોલીસે તેને જૂનાગઢ ખાતેથી ઝડપી લીધો છે. આરોપી મૂળ વઢવાણના ભદ્રેશી ગામનો વતની છે અને તેને ઘરકંકાસને કારણે પત્નીની હત્યા કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે. પોલીસને જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. ગત શુક્રવારે પણ ઝઘડો થતા આવેશમાં આવી આરોપીએ પત્નીની હત્યા કરી નાખી હતી.

Latest Stories