રાજકોટ : ઘરકંકાસ બાબતે પતિએ લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી પત્નીની કરી નાખી હત્યા..

સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.

New Update
રાજકોટ : ઘરકંકાસ બાબતે પતિએ લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી પત્નીની કરી નાખી હત્યા..

રાજકોટ હાઈવે નજીક શાપર-વેરાવળની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેન (ઉં.વ.49)ની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. હત્યા તેમના પતિએ જ કરી હતી. હત્યા કર્યા બાદ પતિ પ્રેમજી ગોવિંદ પરમાર (ઉં.વ.50) ઘરને તાળું મારી જૂનાગઢ ભાગી ગયો હતો. તેમજ મોટા પુત્રને ફોન કરી કહ્યું હતું કે તારાથી થાય એ કરી લેજે. જોકે શાપર પોલીસે તેને જૂનાગઢથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપીનું લોકેશન જૂનાગઢમાં મળતા શાપર પોલીસે તેને જૂનાગઢ ખાતેથી ઝડપી લીધો છે. આરોપી મૂળ વઢવાણના ભદ્રેશી ગામનો વતની છે અને તેને ઘરકંકાસને કારણે પત્નીની હત્યા કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે. પોલીસને જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. ગત શુક્રવારે પણ ઝઘડો થતા આવેશમાં આવી આરોપીએ પત્નીની હત્યા કરી નાખી હતી.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-