Connect Gujarat
રાજકોટ 

વડોદરા : ભદારીના 3 કિશોરોનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત, અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું...

પાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા.

X

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા. જેઓના મૃતદેહ 2 કિમી દૂર કરજણ તાલુકાના રણાપુર ગામ પાસેથી મળી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભદારી ગામમાં નવા વર્ષનો પ્રથમ દિવસ માતમમાં ફેરવાયો હતો. ભદારી ગામના 6 કિશોરો નવા વર્ષે શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી કિનારે ફરવા ગયા હતા, જ્યાં નહાવા પડેલા 3 કિશોરોનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ભદારી ગામના ટાંકીવાળા ફળિયામાં રહેતા 15 વર્ષીય કિશન લાલાભાઇ વસાવા, 15 વર્ષીય અક્ષય રમેશભાઇ વસાવા અને 14 વર્ષીય સોહિલ જયંતિભાઇ વસાવા દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબી જતા લાપતા થતા તેઓની કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જોકે, 15 કલાકથી ચાલી રહેલી શોધખોળ છતાં ત્રણેય કિશોરોની ભાળ ન મળતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અંતે શોધખોળ બાદ ફાયરના લાશ્કરોને 2 કિમી દૂર કરજણ તાલુકાના રણાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાંથી ત્રણેય કિશોરોના મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.તો બીજી તરફ, મોતને ભેટેલા ત્રણેય કિશોરોની ગત મોડી સાંજે એક સાથે અંતિમયાત્રા નીકળતા આખેઆખું ગામ હિબકે ચઢ્યું હતું.

Next Story