Connect Gujarat
વાનગીઓ 

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ઉપવાસમાં ખવાય તેવી "ફરાળી ભેળ", વાંચો સમગ્ર રીત...

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ઉપવાસમાં ખવાય તેવી ફરાળી ભેળ, વાંચો સમગ્ર રીત...
X

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ આરાધના કરવા માટે અનેક લોકો શ્રાવણનો સોમવાર કરતા હોય છે. તો આજે આપણે ઉપવાસમાં ખવાય શકે તેવી ફરાળી ભેળ બનાવતા શીખીએ...

શ્રાવણ માસ દરમ્યાન ઉપવાસમાં ખવાય શકે તેવી ફરાળી ભેળ બનાવવા માટેની સામગ્રીમાં સાબુદાણાં 250 ગ્રામ, ફરાળી ચેવડો 250 ગ્રામ, જીરૂ જરૂર મુજબ, તેલ જરૂર મુજબ, વઘારમાં નાંખવા માટે મીઠો લીમડો, આદુ-મરચાંની પેસ્ટ જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ફરાળી સેવ 250 ગ્રામ, લાલ મરચું જરૂર મુજબ, તળેલા સિંગદાણા નાંખવા હોય તો હવે આપણે ફરાળી ભેળની રીત જોઇએ. સૌ પ્રથમ સાબુદાણાને 8થી 10 કલાક પલાળી રાખો. સાબુદાણા પલડી જાય તે પછી તેને કોઈક કાંણાવાળા વાડકામાં કાઢી લો. હવે એક કડાઇમાં થોડુ તેલ ઉમેરો. તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરી સાબુદાણાં વઘારો. તેમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને લાલ મરચુ ઉમેરી સાંતળો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઇ તેમાં ફરાળી ચેવડો ઉમેરો. તેમાં ફરાળી સેવ ઉમેરો. ફરાળી સેવ આમતો બજારમાં મળતી જ હોય છે, અને ઘરે પણ લોકો બનાંવતા જ હોય છે. આની ઉપર તમે દાડમનાં દાણા પણ નાંખી શકો છો. બધુ મિક્સ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવી લો. આ તમામ પ્રક્રિયા બાદ તમારી ફરાળી ભેળ તૈયાર થઈ ગઈ છે.

નોંધ :

જોકે, ફરાળી ભેળમાં દહીં, ખજૂરની ચટણી, કોથમીરની ચટણી નાંખવી હોય તો એ પણ નાંખી શકો છો. ફરાળી ભેળ માટે સાબુદાણા પલાળવા મુખ્ય કામ છે. આ માટે આખી રાત 8થી 10 કલાક સાબુદાણા પલાળી રાખો. આટલુ પલાળશો ત્યારે જ તે સોફ્ટ થશે, જ્યારે સાબુદાણા પલળી જાય ત્યારે તેને બંને આંગળી વચ્ચે દબાવીને જુઓ. જો તે મેશ થઈ જાય તો સમજો કે, તે બરાબર પલળી ગયા છે. સાબુદાણાને હંમેશા હળવા હાથે જ ધોવા જોઈએ. તેને મસળીને ધોશો તો તે ખરાબ થઈ જશે અને તમે ભેળ બનાવશો તો ચીકણી નહિં બને. સાબુદાણા પલાળતી વખતે તેમાં પાણીની માત્રા એકદમ બરાબર હોવી જોઈએ. 1 કપ સાબુદાણામાં પોણો કપ પાણી નાંખીને તેને પલાળવા જોઈએ...

Next Story