સાબરકાંઠા : હિંમતનગર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને રેલી યોજી કરાયા ધરણાં
BY Connect Gujarat9 Dec 2019 9:31 AM GMT
X
Connect Gujarat9 Dec 2019 9:31 AM GMT
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા લગભગ ૭૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના આદેશથી હિંમતનગરના બગીચા વિસ્તારથી નવી જિલ્લા પંચાયત કચેરી સુધી રેલી યોજી ધરણાં કરવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં કર્મચારીઓમાં તેમના પગાર અંગે વિસંગતતા તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે ભારે નારાજગી અને રોષની લાગણી વર્તાઇ છે. સરકાર દ્વારા અગાઉ સમાધાન કરી પ્રશ્નોનુ નિરાકરણ નહીં કરતા રાજ્યભરમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે. હજુ પણ આ સમગ્ર આંદોલન ઉગ્ર બને તેમ લાગી રહ્યું છે, જો આવું થશે તો ગામડાઓમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ જશે. સરકાર દ્વારા ઝડપથી આરોગ્ય વિભાગના કર્મચારીઓની તમામ માંગણીઓ સંતોષાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
Next Story