સાવલી : બે મિત્રોએ મહી નદીના કિનારેથી મિત્રોને કર્યો વિડીયો કોલ, પછી શું થયું જુઓ
સાવલી
તાલુકાના પોઇચા ગામ નજીક આવેલાં કનોડા બ્રિજ પરથી બે મિત્રોએ એક સાથે નદીમાં
ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. અંતિમ પગલું ભરતાં પહેલાં બંનેએ તેમના
મિત્રો સાથે વિડીયો કોલ પર વાત કરી હતી.
સાવલી
તાલુકામાં આવેલો કનોડા બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત કરનારા લોકોની સંખ્યામાં વધારો થઇ
રહયો છે. આ બ્રિજ પરથી આપઘાત કરનારાઓમાં બે યુવાનોનો ઉમેરો થયો છે. આણંદ જિલ્લાના ખોરવાડ
ગામના રહેવાસી યુવરાજસિંહ અને નિલેશ ચૌહાણ બાઇક લઇને કનોડા બ્રિજ પર આવ્યાં હતાં.
બંને મિત્રોએ બાઇક બ્રિજ પર મુકી તેમના અન્ય મિત્રોને વિડીયો કોલ કર્યો હતો અને
તેઓ શું કરવા જઇ રહયાં છે તેની માહિતી આપી હતી. મિત્રો મદદ માટે પહોંચે તે પહેલાં
બંનેએ મહિસાગર નદીમાં ઝંપલાવી દીધું હતું. ફાયર બિગ્રેડના તરવૈયાઓએ નદીમાંથી બંને
મિત્રોના મૃતદેહ શોધી કાઢયાં હતાં. બંને મિત્રોના સામુહિક આપઘાત પાછળનું કારણ હજી
સુધી બહાર આવી શકયું નથી.