સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કરાઈ યોગ દિવસની ઉજવણી, જુઓ ડ્રોન કેમેરાનો નજારો

New Update
સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કરાઈ યોગ દિવસની ઉજવણી, જુઓ ડ્રોન કેમેરાનો નજારો

આજે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. ત્યારે સોમનાથ સહિત સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ ખાતે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના પટાગણમાં જિલ્લા મહોત્સવના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો નો સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાએ દિપ પ્રાગટ્ય થી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. તો ત્યાર બાદ સ્પોર્ટ તથા યોગ ક્ષેત્રે ખ્યાતી પામેલ યુવક-યુવતીઓને સન્માનીત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે પુર્વ રાજ્યમંત્રી જશાભાઇ બારડ,પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડિડિઓ રહેવર, અધિક કલેક્ટર એચ આર મોદી, ચીફ ઓફિસર જતિન વ્યાસ, મામલતદાર દેવ કુમાર આંબલીયા સહિત સ્થાનીક સામાજીક અગ્રણીઓ, વિવિધ કોલેજો-શાળા ના વિદ્યાર્થીઓ સહીત સૌ લોકોએ યોગ કર્યા હતા.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.