Connect Gujarat
સ્પોર્ટ્સ

સેમીફાઈનલમાં હાર બાદ હરમનપ્રીતનું ફેન્સને વચન, શાનદાર પ્રદર્શન સાથે વાપસી જોરદાર કરીશ..!

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની તેની ટીમની હાર બાદ ચાહકો માટે ભાવનાત્મક સંદેશ લખ્યો છે.

સેમીફાઈનલમાં હાર બાદ હરમનપ્રીતનું ફેન્સને વચન, શાનદાર પ્રદર્શન સાથે વાપસી જોરદાર કરીશ..!
X

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની તેની ટીમની હાર બાદ ચાહકો માટે ભાવનાત્મક સંદેશ લખ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત પાંચ રને હારીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગયું હતું. ઓસ્ટ્રેલિયા હવે ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

આ મેચમાં ભારતીય ટીમને એક સમયે જીતવા માટે 30 બોલમાં 39 રનની જરૂર હતી અને પાંચ વિકેટ હાથમાં હતી. આવી સ્થિતિમાં ભારતની જીત નિશ્ચિત હતી, પરંતુ હરમનપ્રીતના રન આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં આવી અને ભારતને હારનો સામનો કરવો પડ્યો. ટીમની આ હાર બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ચાહકોને ભાવનાત્મક સંદેશ આપ્યો હતો.

હરમનપ્રીતે ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો અને કહ્યું કે ટીમને હારતા જોઈને દુઃખ થયું હશે, પરંતુ અમારી ટીમ જોરદાર વાપસી કરશે. હરમનપ્રીતે લખ્યું, "આ વિશ્વભરના અમારા તમામ ચાહકો માટે છે જેમણે આ વર્લ્ડ કપમાં અમને સમર્થન આપ્યું છે. અમારી સફરમાં વિશ્વાસ કરવા બદલ હું તમારો આભાર માનું છું. એક ક્રિકેટ ચાહક તરીકે હું જાણું છું કે તમારી ટીમને હારતા જોઈને દુઃખ થયું છે. હું એટલું જ કહી શકું છું. કે અમે મજબૂત રીતે પાછા આવીશું અને એક શાનદાર પ્રદર્શન કરીશું.

Next Story