Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SL : હાર્દિક પંડયાએ “નો બોલ”ને ગણાવ્યો ક્રાઈમ, ગાવસ્કરે પણ કરી ટીકા..!

શ્રીલંકા સામેની બીજી T20માં ભારતને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા હતા.

IND vs SL : હાર્દિક પંડયાએ “નો બોલ”ને ગણાવ્યો ક્રાઈમ, ગાવસ્કરે પણ કરી ટીકા..!
X

શ્રીલંકા સામેની બીજી T20માં ભારતને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા હતા. ભારતીય બોલરોની ખરાબ બોલિંગના કારણે શ્રીલંકાએ 206 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. મેચ બાદ હવે નો બોલની ઘણી ટીકા થઈ રહી છે. પૂર્વ ક્રિકેટરથી લઈને કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ પ્રકારની બોલિંગને ખોટી ગણાવી છે.

મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ અર્શદીપની ટીકા કરી હતી. તેણે કહ્યું- એક પ્રોફેશનલ ખેલાડી તરીકે તમે આવી ભૂલ ન કરી શકો. આપણે ઘણીવાર આજના ખેલાડીઓને કહેતા સાંભળીએ છીએ કે વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી. નો બોલ ન નાખવો એ તમારા નિયંત્રણમાં છે. બોલિંગ કર્યા પછી શું થાય છે. બેટ્સમેન શું કરે છે તે બીજી બાબત છે. નો બોલ ન નાખવોએ ચોક્કસપણે તમારા નિયંત્રણમાં છે.

મેચ પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ અર્શદીપ વિશે મોટી વાત કરી હતી. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં હાર્દિકે કહ્યું- હારનું કારણ બોલિંગ અને બેટિંગ બંને હતા. પાવરપ્લે અમને નુકસાન પહોંચાડ્યું. અમે મૂળભૂત ભૂલો કરી છે જે આપણે આ તબક્કે ન કરવી જોઈએ. શીખવું એ મૂળભૂત બાબતો વિશે હોવું જોઈએ. જેને આપણે નિયંત્રિત કરી શકીએ. તમારો દિવસ ખરાબ હોઈ શકે છે આ સ્થિતિમાં તે ખૂબ જ મુશ્કેલ છે. અગાઉ પણ અર્શદીપે નો-બોલ ફેંક્યો હતો. તે દોષારોપણ વિશે નથી પરંતુ નો બોલ ગુનો છે.

Next Story