Connect Gujarat
સ્પોર્ટ્સ

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 16મી સીઝન માટે નવા કેપ્ટનની કરી જાહેરાત

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 16મી સીઝન માટે નવા કેપ્ટનની  કરી જાહેરાત
X

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 16મી સીઝન માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે. શ્રેયસ અય્યરના સ્થાને નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈજાના કારણે અય્યર IPLની 16મી સિઝનનો ભાગ બની શકશે નહીં.

નીતિશ રાણા 2018 થી KKR સાથે જોડાયેલા છે. જો કે અગાઉ KKRના નવા કેપ્ટન તરીકે શાર્દુલ ઠાકુર, નરેન અને રસેલના નામ પણ સામે આવી રહ્યા હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ભારતીય બેટ્સમેનમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. આ પહેલીવાર હશે જ્યારે રાણા IPLમાં કોઈ ટીમની આગેવાની કરતો જોવા મળશે.

આઈપીએલમાં રાણાનો બેટ્સમેન તરીકેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. નીતિશ રાણાએ 2016માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. પોતાની બીજી સિઝનમાં જ રાણાએ 300થી વધુ રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, 2018ની મેગા ઓક્શન પહેલા KKRએ નીતિશ રાણાને સાઈન કર્યા હતા. ત્યારથી, રાણાએ ફ્રેન્ચાઇઝી માટે પાંચ સીઝન રમી છે. બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે.

Next Story