Connect Gujarat
સ્પોર્ટ્સ

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા લેશે સન્યાસ, વર્ષ 2022માં અંતિમ સીઝન રમશે...

ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસ લઈને મોટું એલાન કર્યું છે.

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા લેશે સન્યાસ, વર્ષ 2022માં અંતિમ સીઝન રમશે...
X

ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસ લઈને મોટું એલાન કર્યું છે. ગયા વર્ષે જ સાનિયાએ 2 વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરી હતી. ભારતની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું છે.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે, વર્ષ 2022નું સિઝન તેમના માટે અંતિમ છે. રમત-ગમત જગતમાં સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે. એવામાં તેમના સંન્યાસના એલાનથી તેમના ચાહકો દુ:ખી છે. સાનિયાએ કહ્યું કે, મેં નિર્ણય કર્યો છે આ સિઝન મારો અંતિમ જ રહેશે. હું એક એક સપ્તાહ રમી રહી છું, અને ખબર નથી કે, આખું સિઝન રમી શકીશ કે નહીં. જોકે, મારી ઈચ્છા તો છે જ આ આખું સિઝન રમી શકું. નોંધનીય છે કે, સાનિયા અને યુક્રેનની તેમની સાથી નાદિયાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, સાનિયા હજુ ગ્રાન્ડસ્લેમના મિક્સ્ડ દબલ્સમાં અમેરિકાના રાજીવ રામ સાથે હિસ્સો લેશે. સાનિયા મીરઝાના સન્યાસથી એક અધ્યાય પૂર્ણ થશે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે અને દુબઈમાં તેઓ રહે છે.

Next Story