Connect Gujarat
સ્પોર્ટ્સ

આવતીકાલે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે પ્રથમ ટી-20 મેચ

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 મેચ રમાશે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 સીરિઝ રમાશે.

આવતીકાલે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે પ્રથમ ટી-20 મેચ
X

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 મેચ રમાશે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 સીરિઝ રમાશે. પ્રથમ મેચ જયપુરમાં રમાશે. આ સીરિઝમાં રોહિત શર્માને વિરાટ કોહલીના સ્થાન પર ટી-20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રાહુલ દ્રવિડ પણ પ્રથમવાર ટીમ ઇન્ડિયાના કોચના રૂપમાં જોવા મળશે. આ સીરિઝમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.

ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અત્યાર સુધી છ મેચ રમી છે. આ મેચમાં ભારતે બે મેચ જીતી છે જ્યારે કીવી ટીમે ત્રણ મેચમાં જીત મેળવી છે. એટલે કે આંકડાઓ ન્યૂઝિલેન્ડના પક્ષમાં છે પરંતુ રોહિત શર્મા પાસે શાનદાર તક છે. બંન્ને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 18 મેચ રમાઇ છે જેમાં નવ મેચમાં ન્યૂઝિલેન્ડને જીત મળી છે જ્યારે છ મેચમાં ભારતનો વિજય થયો હતો. જ્યારે બે મેચ ટાઇ રહી હતી તો એક મેચ પરિણામ વિના ખત્મ થઇ હતી.

Next Story