સુરત: ઉધના અરિહંત કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે વરાછા કો.ઓ.બેંક સહિત ૨૪૪ દુકાનો કરાઈ સીલ

New Update
સુરત: ઉધના અરિહંત કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે વરાછા કો.ઓ.બેંક સહિત ૨૪૪ દુકાનો કરાઈ સીલ

તક્ષશિલા અગ્નિકાંડ ઘટના બાદ નિંદ્રામાંથી જાગેલ ફાયર અધિકારીઓ એક બાદ એક ફાયરસેફ્ટી વિનાની દુકાનો સહિત કોમ્પલેક્ષને નોટિસ સહિત સીલ મારવાની કવાયત હાથ ધરી છે. આજ રોજ શહેરના ઉધના વિસ્તારમાં આવેલ અરિહંત કોમ્પ્લેક્ષમાં અપૂરતી ફાયરસેફ્ટીના પગલે તમામ ૨૪૪ દુકાનોને સીલ કરાઈ હતી. આ તમામને ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરાવવા નોટિસ અપાઈ છે. ફાયર સેફટીની સુવિધા આવ્યા બાદ જ દુકાનોના સીલ ખોલવામાં આવશેનું જણાવાયું છે.

અરિહંત કોમ્પ્લેક્ષમાં આવેલ વરાછા કો.ઓ.બેંક સહિત એટીએમને પણ સીલ મારી દેતા બેંક કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ રાત્રી દરમિયાન મનપા ફાયર સેફટી વિભાગની કામગીરીથી ફફડાટ મચી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.