સુરતઃ સલાબતપુરા વિસ્તારમાં 32 વર્ષિય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા
BY Connect Gujarat20 Aug 2018 7:20 AM GMT
X
Connect Gujarat20 Aug 2018 7:20 AM GMT
પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી, અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર
સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલા તિરૂપતિ માર્કેટની સામે એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. 32 વર્ષિય યુવાનની અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે ચપ્પુનાં ઘા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેતાં ચકચાર મચી છે.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આજરોજ રાકેશ મોરિયા નામના 32 વર્ષિય યુવાનની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દેતાં લોકટોળા ઉમટ્યા હતા. તિરૂપતિ માર્કેટ પાછળ બનેલી આ હત્યાની ઘટના અંગે લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story