સુરત: કોસંબા નજીક હાઇવે પર કાર સેન્ડવીચ બની,રાજકોટ પોલીસની કારને અકસ્માત નડતા પોલીસકર્મીનું મોત

સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું

New Update

સુરતના કોસંબા નજીક હાઇવે પર અકસ્માત

રાજકોટ પોલીસની કારને અકસ્માત નડ્યો

અકસ્માતમાં પોલીસકર્મીનું મોત

ટેમ્પો અને ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ બની

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વર ખસેડાયા

સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેરોલ જંપ કરી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા સુરત આવી હતી અને તેઓ આરોપીને પકડી પરત રાજકોટ જઈ રહ્યા હતા એ દરમિયાન સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પાછળ ચાલતા ટેમ્પાએ કારને ટક્કર મારી હતી જેના પગલે કાર આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી અને આરોપીને ઈજા પહોંચતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં પોલીસકર્મીઓની ખાનગી કાર બે વાહનો વચ્ચે સેન્ડવીચ બની ગઈ હતી.બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોચી અકસ્માતગ્રસ્ત કારને ક્રેઇનની મદદથી બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.