સુરત: કોસંબા નજીક હાઇવે પર કાર સેન્ડવીચ બની,રાજકોટ પોલીસની કારને અકસ્માત નડતા પોલીસકર્મીનું મોત

સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું

New Update

સુરતના કોસંબા નજીક હાઇવે પર અકસ્માત

રાજકોટ પોલીસની કારને અકસ્માત નડ્યો

અકસ્માતમાં પોલીસકર્મીનું મોત

ટેમ્પો અને ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ બની

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વર ખસેડાયા

સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેરોલ જંપ કરી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા સુરત આવી હતી અને તેઓ આરોપીને પકડી પરત રાજકોટ જઈ રહ્યા હતા એ દરમિયાન સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પાછળ ચાલતા ટેમ્પાએ કારને ટક્કર મારી હતી જેના પગલે કાર આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી અને આરોપીને ઈજા પહોંચતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં પોલીસકર્મીઓની ખાનગી કાર બે વાહનો વચ્ચે સેન્ડવીચ બની ગઈ હતી.બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોચી અકસ્માતગ્રસ્ત કારને ક્રેઇનની મદદથી બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.