સુરત: VNSGUના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગેની જાગૃતિ માટે કરાયો પ્રયાસ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અને યુનિવર્સિટીના ગેટ પર હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

New Update
  • ગુજરાત પોલીસના પરિપત્રની  અસર

  • VNSGU દ્વારા કરાયો નવતર પ્રયોગ

  • વિદ્યાર્થીઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ 

  • પ્લે કાર્ડ દ્વારા હેલ્મટનું મહત્વ સમજાવવામાં આવ્યું 

  • કુલપતિએ પણ કરી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાની વિનંતી   

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અને યુનિવર્સિટીના ગેટ પર હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટ સહિત ટ્રાફિક સુરક્ષા અંગે જરૂરી એક્શન લેવા માટે પોલીસ વિભાગને સૂચન કરવામાં આવ્યું હતું,અને ત્યારબાદ રાજયના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીઓને હેલ્મેટ અંગેનો પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો.જે અનુસંધાને સુરતની  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.જેમાં VNSGUના ગેટ પર કુલપતિ,રજિસ્ટ્રાર તેમજ સિક્યુરીટી ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સુરક્ષા તેમજ હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યો હતો,જેમાં ટુ વ્હીલર લઈને આવતા યુવક અને યુવતીઓને પ્લે કાર્ડ બતાવીને હેલ્મેટના મહત્વ અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જો વિદ્યાર્થીઓ વહેલી તકે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો આવનાર સમયમાં RTO દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ કુલપતિએ જણાવ્યું હતું. 

 

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.