"જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હવે ગમતું નથી", સુરતમાં અંતિમ ચિઠ્ઠી લખીને મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત

સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.

New Update
  • મહિલા પોલીસકર્મીના આપઘાતથી ચકચાર 

  • પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા હતા

  • ઘરે ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત 

  • મૃતકે આપઘાત પહેલા લખી અંતિમ ચિઠ્ઠી

  • પોલીસે સુસાઈડ નોટ કબજે  લઈને તપાસ કરી શરૂ

સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.

સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતી શેતલ ચૌધરીએ પોતાના ઘરે એકલતાનો લાભ લઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકની એક અંતિમ ચિઠ્ઠી પણ પોલીસે કબજે લીધી હતી.જેમાં લખ્યું છે કે'જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યોપણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.સુરત પોલીસે મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. સાથે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

મૃતક શેતલ ચૌધરી છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા. તેમના બહેન કાજલ ચૌધરીએ કહ્યું હતું કેહું લાઈબ્રેરીમાં વાંચવા માટે ગઈ હતી. રાત્રે ઘરે પરત ફરી તો મને આ સમાચાર મળ્યા હતા.શેતલ પોતાના કામ પ્રત્યે ખૂબ ગંભીર હતી.

Read the Next Article

સુરત : 1 હજારના મોબાઇલ ફોનને લઈ યુવકો વચ્ચે વિવાદ, 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસ તપાસ શરૂ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલ એક મોબાઇલ ફોનને લઈને યુવકો વચ્ચે સામાન્ય વિવાદ સર્જાયો હતો.

New Update
  • લિંબાયતમાં મોબાઈલના લેતીદેતીના રૂપિયામાં થઈ હત્યા

  • મોબાઇલના બદલામાં વધુ પૈસાની માંગણી કરાતા હુમલો

  • 3 શખ્સોએ સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો

  • હત્યા મામલે લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

  • ત્રણેય હત્યારાની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલ એક મોબાઇલ ફોનને લઈને યુવકો વચ્ચે સામાન્ય વિવાદ સર્જાયો હતો. જેમાં 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને કરાયેલી નિર્મમ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ટ્રિસનલ ચોકી નજીક ગત સોમવારે રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ નૂરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલા એક મોબાઇલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં અરબાઝે આરોપી અનવર પાસેથી 1 હજાર રૂપિયામાં એક મોબાઇલ ખરીદ્યો હતો. જોકેબાદમાં અરબાઝ આ મોબાઇલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. જેને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કેઅનવરે પોતાના અન્ય 2 સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા નિપજાવી હતી. બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી ત્રણેય આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.