દીપડાને કેદની સજા..! : સુરત-માંડવીથી પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં “પ્રથમ કેદી” બન્યો…

સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે

New Update
  • દ. ગુજરાતના ઝંખવાવમાં પ્રથમ રિહેબિલિટેશન સેન્ટર તૈયાર

  • ગત 6 મહિનામાં માનવ ઉપર દીપડાના હુમલાની 3 ઘટનાઓ

  • દીપડાના હુમલાની 3 ત્રણેય ઘટનામાં 3 લોકોના થયા છે મોત

  • પુનર્વસન કેન્દ્રમાં માનવભક્ષી દીપડાઓને મોકલવામાં આવતા

  • પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી

સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છેજ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છેત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. તેવામાં હવે આ દીપડો એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન રિહેબિલિટેશન સેન્ટરમાં જ પસાર કરશે.

સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે. પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે. સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે. 6 મહિનામાં માનવ પર હુમલાની 3 ઘટના સામે આવી છેજેમાં ત્રણેય વ્યક્તિનું મોત નીપજ્યું છેજ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છેત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા. પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાવ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છેઅને આ પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે.

હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વીતાવશે. સમગ્ર મામલે સુરત DCF આનંદ કુમારે જણાવ્યું હતું કેદક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહટ નજીક આવી રહ્યા છે. ભેંસડુક્કરવાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાઈ તો તેને રિહેલિટિબેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. પહેલાં દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી દીપડાઓને વડોદરા ખાતે મોકલાતા હતા. પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં રૂ. 1.50 કરોડના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.