સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 1 યુવકનું મોત

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.

New Update
  • કોસંબા નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત

  • બસ ખાડીમાં ખાબકતા સર્જાયો ગોઝારો અકસ્માત

  • બસમાં સવાર 40 મુસાફરોનું કરાયું રેસ્ક્યુ

  • ફાયર બ્રિગેડ દ્વારા બસનું પતરું  કાપીને મુસાફરોને બહાર કઢાયા

  • એક યુવકનું નીપજ્યું મોત,અન્ય સારવાર હેઠળ

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું,જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી પસાર થઇ રહી હતી,તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી,અને બસમાં નીંદર માણતા મુસાફરી દબાઈ ગયા હતા,અને બચાવ બચાવની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,માર્ગ પરથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા,અને 108 ઈમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદે બોલાવી હતી.

સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી,અને બસના કેબીનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યૂની કામગીરી કરી હતી.બસમાંથી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,જયારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જેમાં એક યુવકનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુ ચૌહાણે જણાવ્યું હતું કેહું હાલ રજા પર હતો.ગામડેથી સુરત આવી રહ્યો હતોત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમની મદદે ગયો હતો. બસમાં 30-35 લોકો ફસાયેલા હતાજેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે.

Read the Next Article

સુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ

એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર

New Update
  • એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ અને લૂંટનો મામલો

  • કારખાનામાં કામ કરતા પૂર્વ કારીગરે જ રચ્યું કાવતરૂં

  • ફાયરિંગ કરીને ઘટનાને આપ્યો હતો અંજામ

  • કારીગરોના મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ

  • પોલીસે એક આરોપીની ગુરુગ્રામથી કરી ધરપકડ 

સુરતના પુણામાં આવેલ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગલૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો.તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કેઆ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતોજે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતીપરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકેબાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.અને  પોલીસે 41 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં હજી પણ મુખ્ય આરોપી દિલીપસિંહ ફરાર છે,તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.