સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 1 યુવકનું મોત

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.

New Update
  • કોસંબા નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત

  • બસ ખાડીમાં ખાબકતા સર્જાયો ગોઝારો અકસ્માત

  • બસમાં સવાર 40 મુસાફરોનું કરાયું રેસ્ક્યુ

  • ફાયર બ્રિગેડ દ્વારા બસનું પતરું  કાપીને મુસાફરોને બહાર કઢાયા

  • એક યુવકનું નીપજ્યું મોત,અન્ય સારવાર હેઠળ

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું,જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી પસાર થઇ રહી હતી,તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી,અને બસમાં નીંદર માણતા મુસાફરી દબાઈ ગયા હતા,અને બચાવ બચાવની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,માર્ગ પરથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા,અને 108 ઈમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદે બોલાવી હતી.

સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી,અને બસના કેબીનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યૂની કામગીરી કરી હતી.બસમાંથી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,જયારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જેમાં એક યુવકનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુ ચૌહાણે જણાવ્યું હતું કેહું હાલ રજા પર હતો.ગામડેથી સુરત આવી રહ્યો હતોત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમની મદદે ગયો હતો. બસમાં 30-35 લોકો ફસાયેલા હતાજેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.