સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 1 યુવકનું મોત

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.

New Update
  • કોસંબા નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત

  • બસ ખાડીમાં ખાબકતા સર્જાયો ગોઝારો અકસ્માત

  • બસમાં સવાર 40 મુસાફરોનું કરાયું રેસ્ક્યુ

  • ફાયર બ્રિગેડ દ્વારા બસનું પતરું  કાપીને મુસાફરોને બહાર કઢાયા

  • એક યુવકનું નીપજ્યું મોત,અન્ય સારવાર હેઠળ

Advertisment

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું,જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી પસાર થઇ રહી હતી,તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી,અને બસમાં નીંદર માણતા મુસાફરી દબાઈ ગયા હતા,અને બચાવ બચાવની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,માર્ગ પરથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા,અને 108 ઈમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદે બોલાવી હતી.

સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી,અને બસના કેબીનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યૂની કામગીરી કરી હતી.બસમાંથી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,જયારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જેમાં એક યુવકનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુ ચૌહાણે જણાવ્યું હતું કેહું હાલ રજા પર હતો.ગામડેથી સુરત આવી રહ્યો હતોત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમની મદદે ગયો હતો. બસમાં 30-35 લોકો ફસાયેલા હતાજેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે.

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment