સુરતની “સૂરત” બદલાશે..! : સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા SMCએ કમર કસી, જાહેરમાં થૂકનાર પર બાજ નજર

સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

New Update
  • મનપાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા કમર કસી

  • મનપા દ્વારા લોકોને સ્વચ્છતા માટે કરવામાં આવી રહ્યા જાગૃત

  • 4,500 CCTV કેમેરા દ્વારા ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત

  • ગંદકી કરતાં શહેરના નાગરિકો પર રાખવામાં આવી બાજ નજર

  • સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ લોકોને મળશે ઈ-ચલણ : મનપા

સુરત શહેરમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો પર મહાનગરપાલિકા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. આ માટે મનપા 4,500 CCTV કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યું છે.

દર વખતની જેમ ફરી એક વખત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા કોઈ કસર રાખવા માંગતી નથી. લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફસૂરત શહેરના દરેક ખૂણા પરCCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

આ માટે સુરત મહાનગરપાલિકા 4,500 CCTV કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ આવા લોકોને ઈ-ચલણ પણ મોકલવામાં આવે છે. સૂરત મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા શહેરના તમામ ન્યુસેન્સ પોઇન્ટ પર ત્રીજી આંખથી નજર રાખી રહી છે.

છેલ્લા 5 મહિનામાં 245 લોકોને જાહેરમાં થૂકવા બદલ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જેમાંથી 67 લોકોએ ઈ-ચલણ ભરી દીધા છે. જો આવનાર દિવસોમાં અન્ય લોકો ઈ-ચલણ નહીં ભરેતો તેમને 100ની જગ્યાએ 250 રૂપિયા ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કેસૂરત શહેરમાં જાહેરમાં થૂકનાર લોકો કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ શહેરના બ્યુટીફિકેશન પર ગુટકા અને પાન-મસાલાની પિચકારી મારી ગંદગી ફેલાવે છે. જેના કારણે આવા લોકો પર એક્શન લેવા માટે સુરત મહાનગરપાલિકા ઇમરજ્સી રિસ્પોન્સ સેન્ટરની મદદથી લઈ રહી છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.