સુરતની “સૂરત” બદલાશે..! : સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા SMCએ કમર કસી, જાહેરમાં થૂકનાર પર બાજ નજર

સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

New Update
  • મનપાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા કમર કસી

  • મનપા દ્વારા લોકોને સ્વચ્છતા માટે કરવામાં આવી રહ્યા જાગૃત

  • 4,500 CCTV કેમેરા દ્વારા ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત

  • ગંદકી કરતાં શહેરના નાગરિકો પર રાખવામાં આવી બાજ નજર

  • સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ લોકોને મળશે ઈ-ચલણ : મનપા

સુરત શહેરમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો પર મહાનગરપાલિકા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. આ માટે મનપા 4,500 CCTV કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યું છે.

 દર વખતની જેમ ફરી એક વખત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા કોઈ કસર રાખવા માંગતી નથી. લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફસૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

આ માટે સુરત મહાનગરપાલિકા 4,500 CCTV કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ આવા લોકોને ઈ-ચલણ પણ મોકલવામાં આવે છે. સૂરત મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા શહેરના તમામ ન્યુસેન્સ પોઇન્ટ પર ત્રીજી આંખથી નજર રાખી રહી છે.

છેલ્લા 5 મહિનામાં 245 લોકોને જાહેરમાં થૂકવા બદલ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જેમાંથી 67 લોકોએ ઈ-ચલણ ભરી દીધા છે. જો આવનાર દિવસોમાં અન્ય લોકો ઈ-ચલણ નહીં ભરેતો તેમને 100ની જગ્યાએ 250 રૂપિયા ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કેસૂરત શહેરમાં જાહેરમાં થૂકનાર લોકો કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ શહેરના બ્યુટીફિકેશન પર ગુટકા અને પાન-મસાલાની પિચકારી મારી ગંદગી ફેલાવે છે. જેના કારણે આવા લોકો પર એક્શન લેવા માટે સુરત મહાનગરપાલિકા ઇમરજ્સી રિસ્પોન્સ સેન્ટરની મદદથી લઈ રહી છે.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.