સુરત : VNSGUમા સ્થાપના દિન નિમિત્તે 100 ફુટ ઉંચો તિરંગો લહેરાયો, યુનિવર્સિટીની શોભા વધી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 58માં સ્થાપના દિન નિમિત્તે ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
BY Connect Gujarat Desk23 May 2022 7:57 AM GMT
X
Connect Gujarat Desk23 May 2022 7:57 AM GMT
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 58માં સ્થાપના દિન નિમિત્તે ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે યુનિવર્સિટીના પરિસરમાં 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાયો હતો.
આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 57માં સ્થાપના દિન છે. સ્થાપના દિન નિમિત્તે ધ્વજ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિસર ખાતે 100 ફૂટનો તિરંગો લહેરાવ્યો હતો. વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં મધ્ય સ્થળે તિરંગો લહેરાતા યુનિવર્સિટીની શોભા વધી હતી. ધ્વજ સમારોહમાં વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ,અધ્યાપકો,વિદ્યાર્થીઓ સહિતના અનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં દેશભક્તિ અને રાષ્ટ્રધ્વજની મહિમા સમજાવવામાં આવી હતી.
Next Story