શહેરમાં રોગચાળાથી એક બાળકીનું મોત
7 વર્ષીય બાળકીનું નીપજ્યું કરૂણ મોત
બાળકીને બે દિવસથી તાવ આવી રહ્યો હતો
પરિવારે ઘર નજીકમાં સારવાર કરાવી હતી
તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ
તબીબે બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરી
સુરત શહેરના રામનગરમાં રહેતી 7 વર્ષીય માસુમ બાળકી બીમારીમાં સપડાયા બાદ મોતને ભેટતા ફફડાટ વ્યાપી ગયો હતો.અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
સુરતમાં વરસાદની સીઝનમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.અને સિવિલ હોસ્પિટલમાં પણ મચ્છરોના ઉપદ્રવથી અને પાણીજન્ય રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.ત્યારે શહેરના રામનગરમાં રહેતા પરિવારની 7 વર્ષીય માસુમ બાળકીને બીમારીના ભરડામાં સપડાતા મોતને ભેટી હતી,પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકીને બે દિવસથી તાવ આવતો હતો,અને તેની સારવાર પણ ચાલી રહી હતી.જોકે તબિયતમાં સુધારો ન થતા પરિવારજનો બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા,જોકે સિવિલ હોસ્પિટલના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.માસૂમ દીકરીના અવસાનથી પરિવારજનોમાં શોકમગ્ન બની ગયું હતું.