સુરત : પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો પરિચિત યુવક,પોલીસે કરી આરોપીની ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

New Update
  • પાંડેસરામાં વધુ એક દુષ્કર્મની ઘટના

  • ધો.9માં અભ્યાસ કરતી દીકરી બની દુષ્કર્મનો ભોગ

  • ઘરેથી બુક લેવા નીકળેલી દીકરી સાથે દુષ્કર્મ 

  • પાડોશમાં રહેતા યુવકે જ આચર્યું દુષ્કર્મ

  • પોલીસે નરાધમ યુવકની કરી ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીર બાળા કે જે ધોરણ 9માં અભ્યાસ કરે છે,જોકે વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે નીકળી હતી,ત્યારે તેના પાડોશમાં રહેતા યુવકે બદઇરાદા પૂર્વક સગીરાને પોતાની બાઈક પર બેસાડીને અવાવરુ જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું,અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે લોહી નીકળતા તેને ગંભીર હાલતમાં કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.જોકે યુવતી ઘરે પહોંચતા તેના લોહીથી લથપથ કપડા જોતા પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી.અને પરિવારજનો દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ઘટના અંગેની હકીકત બહાર આવી હતીઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી,જે ફરિયાદને આધારે પોલીસે નરાધમ આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.