સુરત : રઘુકુળ માર્કેટ-2ની મીટર પેટીમાં ફાટી નીકળી આગ, મેયર ઘટના સ્થળે દોડી આવ્યા.
રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી.
BY Connect Gujarat27 March 2022 7:31 AM GMT
X
Connect Gujarat27 March 2022 7:31 AM GMT
સુરત શહેરના રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી. મીટર પેટીમાં આગ લાગતા જ સ્થાનીકો દ્વારા ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરાય હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. જેમાં કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા લોકોએ રાહત અનુભવી હતી. બનાવની જાણ થતાં જ મેયર હેમાલી બોઘાવાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સુરત : રઘુકુળ માર્કેટ-2ની મીટર પેટીમાં ફાટી નીકળી આગ, મેયર ઘટના સ્થળે દોડી આવ્યા.
Next Story