સુરત : ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનો જોડાયા

સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • સુરત દેશભક્તિના રંગે રંગાયું

  • સેનાના શૌર્યને બિરદાવતા દેશપ્રેમીઓ

  • ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

  • ભાગળથી ચોક બજાર સુધી યોજાઈ યાત્રા

  • કેન્દ્રીય મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરતમાં ભાગળથી ચોક બજાર વિસ્તાર સુધી વિશાળ તિરંગા યાત્રા કેન્દ્રીય જળસંચય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનોસામાજિક કાર્યકરોયુવાનોવડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યું હતું.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.