સુરત દેશભક્તિના રંગે રંગાયું
સેનાના શૌર્યને બિરદાવતા દેશપ્રેમીઓ
ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ભાગળથી ચોક બજાર સુધી યોજાઈ યાત્રા
કેન્દ્રીય મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરતમાં ભાગળથી ચોક બજાર વિસ્તાર સુધી વિશાળ તિરંગા યાત્રા કેન્દ્રીય જળસંચય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યું હતું.