સુરત : વાહન સાઈડમાં કરવા જેવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પિકઅપ વાન ચડાવી ઢસડી મારતા આધેડનું મોત...

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

New Update
  • કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના

  • વાહન સાઈડમાં કરવા જેવી નજીવી બાબતે થઈ માથાકૂટ

  • આધેડ પર પિકઅપ વાન ચડાવી 150 મીટર દૂર ઢસડ્યો

  • હત્યાની ઘટનાના હચમચાવી નાખતાCCTV સામે આવ્યા

  • પોલીસ દ્વારા હત્યારા ચાલકની ધરપકડ સાથે વધુ તપાસ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતાCCTV ફૂટેજ સામે આવ્યા છે. વાહન સાઈડમાં કરવા જેવી નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી 150 મીટર દૂર ઢસડવામાં આવ્યો હતો. જેના પગલે આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતીત્યારે હવે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જિતેન્દ્ર કંથારિયા નામના આધેડ કેજેઓ બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા સર્કલ નજીક વાહન લઈને ગયા હતા. તે દરમિયાન મયૂર મેર નામના યુવક સાથે તેમના વાહનને સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયૂર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કેતેણે જિતેન્દ્ર કંથારિયાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઉશ્કેરાયેલા મયૂરે મેરએ જિતેન્દ્ર કંથારિયા પર પિકઅપ વાન ચડાવી દીધી હતી. ત્યારબાદ મયૂરે મેરએ પિકઅપ વાનને ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે જિતેન્દ્ર કંથારિયા પિકઅપની આગળના ટાયરની નીચે આવી જતાં 150 મીટર જેટલા દૂર ઢસડાય હતા. પિકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઉભા રહી ગયા હતા. આ દરમિયાન જિતેન્દ્ર કંથારિયાને બહાર કાઢી લેવામાં આવ્યો હતોઅને ત્યારબાદ મયૂર મેર ફુલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો. જોકેઆ ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મયૂર મેરને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છેત્યારે હાલ તો આ મામલે કતારગામ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.