સુરત : વાહન સાઈડમાં કરવા જેવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પિકઅપ વાન ચડાવી ઢસડી મારતા આધેડનું મોત...

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

New Update
  • કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના

  • વાહન સાઈડમાં કરવા જેવી નજીવી બાબતે થઈ માથાકૂટ

  • આધેડ પર પિકઅપ વાન ચડાવી 150 મીટર દૂર ઢસડ્યો

  • હત્યાની ઘટનાના હચમચાવી નાખતા CCTV સામે આવ્યા

  • પોલીસ દ્વારા હત્યારા ચાલકની ધરપકડ સાથે વધુ તપાસ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. વાહન સાઈડમાં કરવા જેવી નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી 150 મીટર દૂર ઢસડવામાં આવ્યો હતો. જેના પગલે આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતીત્યારે હવે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જિતેન્દ્ર કંથારિયા નામના આધેડ કેજેઓ બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા સર્કલ નજીક વાહન લઈને ગયા હતા. તે દરમિયાન મયૂર મેર નામના યુવક સાથે તેમના વાહનને સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયૂર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કેતેણે જિતેન્દ્ર કંથારિયાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઉશ્કેરાયેલા મયૂરે મેરએ જિતેન્દ્ર કંથારિયા પર પિકઅપ વાન ચડાવી દીધી હતી. ત્યારબાદ મયૂરે મેરએ પિકઅપ વાનને ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે જિતેન્દ્ર કંથારિયા પિકઅપની આગળના ટાયરની નીચે આવી જતાં 150 મીટર જેટલા દૂર ઢસડાય હતા. પિકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઉભા રહી ગયા હતા. આ દરમિયાન જિતેન્દ્ર કંથારિયાને બહાર કાઢી લેવામાં આવ્યો હતોઅને ત્યારબાદ મયૂર મેર ફુલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો. જોકેઆ ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મયૂર મેરને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છેત્યારે હાલ તો આ મામલે કતારગામ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.