સુરત : રાંદેરમાંથી પાનનો ગલ્લો ચલાવતા શખ્સ પાસેથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો,SOGએ કરી કાર્યવાહી

સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.

New Update
  • રાંદેરમાંSOG પોલીસની મોટી કાર્યવાહી

  • ઈ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ

  • ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો 36.58 લાખનો જથ્થો જપ્ત

  • પોલીસે અન્ય એક આરોપીને કર્યો વોન્ટેડ જાહેર 

  • મુંબઈથી ઈ-સિગારેટ લાવવામાં આવતી હતી 

સુરતના રાંદેર મેરુલક્ષ્મી સોસાયટીમાં ભાડે રાખેલા મકાનમાંથી એસઓજીએ 36.58 લાખની ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાનનો ગલ્લો ચલાવનાર સામે કાર્યવાહી કરી છે.જયારે તેના એક ભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે. જેના આધારે એસઓજીનએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન પાનનો ગલ્લો ચલાવનાર નાઝીર મોહંમદ જાવેદ શેખને ઈ-સિગારેટ સાથે પકડી પાડયો છે. તેના ઘરમાં વચ્ચેના માળે બનાવેલા ગોડાઉનમાંથી ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટના 8256 બોક્સ રૂપિયા 36.58 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ ઈ-સિગારેટ તેનો ભાઈ કાદીર શેખ મુંબઇથી લાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.એસઓજીએ તેના ભાઈ કાદીરને વોન્ટેડ જાહેર કર્યો છે. કાદીર પકડાય પછી મુંબઇથી કોની પાસેથી સિગારેટ લાવતો હતો,તેની ભાળ મળી શકશે.

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.