સુરત : તાપી જન્મોત્સવ પૂર્વે શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા કુરુક્ષેત્ર ઘાટ પર સફાઈ અભિયાન યોજાયું...

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
  • શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • તા. 2 જુલાઈ-2025ના રોજ તાપી માતાનો જન્મોત્સવ યોજાશે

  • તાપી જન્મોત્સવ પૂર્વે કુરુક્ષેત્ર ઘાટ પર સફાઈ અભિયાન યોજાયું

  • જન્મોત્સવ પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ

  • રામ મઢીના મહંત સંતરામ બાપુ પણ સફાઈ અભિયાનમાં જોડાયા

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગંગા નદીમાં સ્નાન કરવાથીનર્મદા નદીના દર્શન કરવાથી અને સૂર્ય પુત્રી તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. આગામી તા. 2 જુલાઈ-2025એ અષાઢ સુદ સાતમના રોજ સુરતમાંથી પસાર થતી તાપી નદીના જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવનાર છેત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તાપી માતાના જન્મોત્સવની ઉજવણી પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને વિષહસ અપીલ કરવામાં આવી હતી.

શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યુ હતું કેતાપી પર હાલ નિર્માણ કરાયેલો સૂર્યોદય ઘાટ ખૂબ પ્રાચીન છે. તેની સાથે આવેલું રાંદેર ગામ તાપી માતાનું પિયર કહેવાય છે. હાલમાં સૂર્યોદય ઘાટ અને કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ પાસે તાપીમાતામાં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. આથી રામ મઢીના મહંત સંતરામ બાપુના સાનિધ્યમાં સ્મશાન ભૂમિ ટ્રસ્ટના કાર્યકરો અને બીજા પરિવારોએ ભેગા મળી તાપી કિનારે જળકુંભી દૂર કરી હતી.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.