સુરત: VNSGU હોસ્ટેલમાં દારૂ મહેફિલથી શિક્ષણ આલમમાં ખળભળાટ, ચાર વિદ્યાર્થીઓના  પ્રવેશ કરાયા રદ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતું, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતી, અને માત્ર 1 પકડાયો છે

New Update
  • VNSGUમાં વિદેશી દારૂની મહેફિલનો મામલો

  • છ વિદ્યાર્થીઓ વચ્ચે જામી હતી મહેફિલ

  • રજિસ્ટ્રારે રેડ કરતા જ આખી ઘટના આવી બહાર

  • 4 વિદ્યાર્થીઓને વોર્ડને ભાગવામાં કરી મદદ

  • એક ઝડપાયો,જ્યારે એક કૂદીને થઈ ગયો ફરાર

  • ઘટનામાં વિદ્યાર્થીઓના પ્રવેશ કરાયા રદ 

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતુંજેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતીઅને માત્ર 1 પકડાયો છેજ્યારે 5 ભાગી છૂટ્યા હતા.વિદ્યાર્થીઓએ દારૂનો પેગ બનાવી ચિયર્સની બૂમો પાડી હતીજેથી રજિસ્ટ્રારે રેડ કરી હતી. જો કેવોર્ડને 4 વિદ્યાર્થીને મુખ્ય ગેટથી ભાગવા દીધા હતા અને એક પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો.સર્જાયેલી ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તારીખ 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓની પોલ ખુલ્લી પડી ગઈ હતી,જેમાં છ વિદ્યાર્થીઓ દારૂનો પેગ બનાવીને ચિયર્સની બૂમો પાડી હતી,જે અંગેની જાણ થતા જ રજિસ્ટ્રારે રેડ કરી હતી,જેમાં 4 વિદ્યાર્થીઓને ભાગવામાં વોર્ડને મદદ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જ્યારે એક પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો,તેમજ એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પકડાયેલા વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી હતી,અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂની બોટલદારૂ ભરેલા ગ્લાસબાઈટિંગનોનવેજઇ-સિગારેટ અને ડિફાઇન સિગારેટના પેકેટ મળી આવ્યા હતા.

હોસ્ટેલમાં મનોજ તિવારીનીરજઅભિજિતઇન્દ્રજિત અને અન્ય બે યુવકો દારૂની પાર્ટી કરી રહ્યા હતા.યુનિવર્સિટીના CCTVમાં રેડ બાદ ભાગતા વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે.વધુમાં મનોજ તિવારી નામના વિદ્યાર્થીને રૂમમાં બંધ કરાયો હતો,ત્યારે સિક્યુરિટી ઓફિસર વોચમાં હતો. દરમિયાન મનોજ બાલ્કની માંથી કૂદીને ભાગી ગયો હતો. અભિજીત  રૂમમાં જ હોવાથી પકડાઈ ગયો હતો. પાર્ટી કરનારા 6 પૈકી બે યુવક યુનિવર્સિટી બહારના હતા.જ્યારે 4ના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત વોર્ડનને યુનિવર્સિટીએ મેમો આપ્યો છે.

સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવતમાં દિન’દહાડે માતાનું અપહરણ કરનાર 7 લોકોની ધરપકડ, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું...

New Update
  • શહેરના પાલ વિસ્તારમાંથી સામે છે આવી ચોંકાવનારી ઘટના

  • પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું

  • હોસ્પિટલ નજીકથી 25 શખસ ખેંચી ગયા, CCTV સામે આવ્યા

  • 7 લોકોની ધરપકડરિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપી રડી પડ્યો

  • યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવત બની અપહરણનું કારણ 

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું હતું. CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું હતું. ગત તા. 10 જૂન-2025ના રોજ સવારે આશરે 11:30 કલાકે પાલ ગૌરવ પથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી. સુમિત્રા રાયાણીજે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છેતેમનું અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.

જોકેસામે આવેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કેઆ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી હતી. તેમણે સુમિત્રા રાયાણીને ધક્કામુક્કી કરીનેશારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે. રાંદેર રોડ પરની હેતલ નગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ મુજબતેમની બહેન સુમિત્રા રાયાણીના દીકરા અનિકેત ગત 1 જૂન2024ના રોજ અંબિકા નગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ગત તા. 28 મે-2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાઅને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા.

આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફઅપહરણ કરનાર 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છેજ્યારે અન્ય ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.