Connect Gujarat
સુરત 

સુરત : VNSGUમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા પાઠવાયું આવેદન પત્ર...

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ફીની રકમથી ચાલતી હોવાનો NSUIના વિધાર્થીઓએ આક્ષેપ કર્યો

X

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થતાં હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ફીની રકમથી ચાલતી હોવાનો NSUIના વિધાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે અનેક પ્રકારના ખોટા ખર્ચાઓ કરવામાં આવતા હોવાનો પણ NSUIએ આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીઓની ફીના નામે યુનિવર્સિટીના સંચાલકો કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહ્યા છે, સાથે જ ભ્રષ્ટાચાર માટે વગર ટેન્ડરે કામ આપી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે, ત્યારે NSUI દ્વારા વિરોધ દર્શાવીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story