સુરત : વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ લગાવીને ફરતા વાહનચાલકો ચેતજો

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

New Update
  • શહેર તથા જિલ્લાના દિન પ્રતિદિન વધતાં અકસ્માતો

  • અકસ્માતોને નિવારવા પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ

  • વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ કરાયું

  • 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરાય

  • પોલીસની કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ

Advertisment

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને રોકવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઈટો વાહન ચલાવતા વ્યક્તિની આંખો પર પડતા જ આંખ સામે અંધારા આવી જતા હોય છેઅને અકસ્માતની ઘટના સર્જાય છે. જોકેવાહનોમાં આવી લાઈટોને લઈને ગુજરાતમાં સૌપ્રથમ વાર સુરત પોલીસે અભિયાન હાથ ધર્યું છે. જેમાં વાહનોમાં ફ્લેશલાઇટ નાખીને ફરતા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી 1 હજારથી વધુ વાહન ચાલકોને ફેશલાઇટને લઈને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરવામાં આવી છે. તો બીજી તરફઅનેક વાહન ચાલકો પોલીસથી બચવા અવનવા બહાના કાઢતા હોય છે. જેથી પોલીસે મેકેનિક અને વાહનોના શોરૂમ મેનેજરોને સાથે રાખીને વાહનોમાં ફેશલાઇટને લઈને તપાસ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેસુરત પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

 

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment