સુરત : વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ લગાવીને ફરતા વાહનચાલકો ચેતજો

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

New Update
  • શહેર તથા જિલ્લાના દિન પ્રતિદિન વધતાં અકસ્માતો

  • અકસ્માતોને નિવારવા પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ

  • વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ કરાયું

  • 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરાય

  • પોલીસની કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,ત્યારેપોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને રોકવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઈટો વાહન ચલાવતા વ્યક્તિની આંખો પર પડતા જ આંખ સામે અંધારા આવી જતા હોય છેઅને અકસ્માતની ઘટના સર્જાય છે. જોકેવાહનોમાં આવી લાઈટોને લઈને ગુજરાતમાં સૌપ્રથમ વાર સુરત પોલીસે અભિયાન હાથ ધર્યું છે. જેમાં વાહનોમાં ફ્લેશલાઇટ નાખીને ફરતા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી 1 હજારથી વધુ વાહન ચાલકોને ફેશલાઇટને લઈને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરવામાં આવી છે. તો બીજી તરફઅનેક વાહન ચાલકો પોલીસથી બચવા અવનવા બહાના કાઢતા હોય છે. જેથી પોલીસે મેકેનિક અને વાહનોના શોરૂમ મેનેજરોને સાથે રાખીને વાહનોમાં ફેશલાઇટને લઈને તપાસ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેસુરત પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Read the Next Article

સુરત કરોડોની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું.

New Update
diamond theft case

સુરતના કાપોદ્રામાં રૂપિયા 32 કરોડના હીરાની ચોરીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને કાપોદ્રા પોલીસે મળીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે..આ ઘટનામાં માલિક પોતેજ આરોપી નીકળ્યો છે. એટલે કે જે વ્યક્તિએ હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, એ જ આરોપી નીકળ્યો.

મળતી માહિતી અનુસાર, ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારની હીરાની ચોરી થઈ જ નહોતી. સમગ્ર ઘટનાનું તરકટ ફરિયાદી દ્વારા પોતે જ ઘડાયું હતું. પોલીસે જ્યારે ઉલટ તપાસ હાથ ધરી ત્યારે દેવેન્દ્રકુમાર ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા તેમને આરોપી તરીકે ઓળખી કાર્યવાહી શરૂ કરી.

Latest Stories