સુરત : વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ લગાવીને ફરતા વાહનચાલકો ચેતજો

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

New Update
  • શહેર તથા જિલ્લાના દિન પ્રતિદિન વધતાં અકસ્માતો

  • અકસ્માતોને નિવારવા પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ

  • વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ કરાયું

  • 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરાય

  • પોલીસની કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,ત્યારેપોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને રોકવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઈટો વાહન ચલાવતા વ્યક્તિની આંખો પર પડતા જ આંખ સામે અંધારા આવી જતા હોય છેઅને અકસ્માતની ઘટના સર્જાય છે. જોકેવાહનોમાં આવી લાઈટોને લઈને ગુજરાતમાં સૌપ્રથમ વાર સુરત પોલીસે અભિયાન હાથ ધર્યું છે. જેમાં વાહનોમાં ફ્લેશલાઇટ નાખીને ફરતા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી 1 હજારથી વધુ વાહન ચાલકોને ફેશલાઇટને લઈને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરવામાં આવી છે. તો બીજી તરફઅનેક વાહન ચાલકો પોલીસથી બચવા અવનવા બહાના કાઢતા હોય છે. જેથી પોલીસે મેકેનિક અને વાહનોના શોરૂમ મેનેજરોને સાથે રાખીને વાહનોમાં ફેશલાઇટને લઈને તપાસ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેસુરત પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.