-
પાકિસ્તાનને સમર્થન આપતા પર્યટન સ્થળનો વિરોધ
-
અનેક ટૂર સંચાલકોએ સ્વૈચ્છીક રીતે દર્શાવ્યો છે વિરોધ
-
તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજ બોયકોટ કરાયા
-
ટૂર પેકેજ બુક નહીં કરવા અનેક ટૂર સંચાલકોનો નિર્ણય
-
અન્ય પ્રવાસન સ્થળે લોકો ફરવા જાય તેવી અપીલ કરી
ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજને સુરતના અનેક ટૂર સંચાલકોએ બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા તુર્કી અને અઝરબૈજાન બન્ને દેશને બોયકોટ કરવામાં આવ્યા છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને મદદ કરતા તુર્કી અને અઝરબૈજાનમાં કોઈ ટ્રાવેલરને ભારતની એકપણ ટ્રાવેલ એજન્સી મોકલશે નહીં. ભારત પર આ બંને દેશોની ઇકોનોમી ચાલી રહી છે. જેથી આ બંને દેશોની ઇકોનોમી તોડવા માટે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો છે, ત્યારે સુરતના પણ અનેક ટૂર સંચાલકોએ તુર્કી અને અઝરબૈજાનના ટૂર પેકેજને બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. ટૂર સંચાલકો તુર્કી અને અઝરબૈજાન જેવા અન્ય પ્રવાસન સ્થળો પર લોકો હરવા ફરવા માટે જવા અંગે સમજાવી રહ્યા છે. આ સાથે જ અન્ય દેશ કરતા ભારતમાં લોકો ફરવા જાય તેવી અપીલ કરવામાં આવી છે.