સુરત : ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી-અઝરબૈજાનના ટૂર પેકેજ “બોયકોટ”

ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજને સુરતના અનેક ટૂર સંચાલકોએ બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે.

New Update
  • પાકિસ્તાનને સમર્થન આપતા પર્યટન સ્થળનો વિરોધ

  • અનેક ટૂર સંચાલકોએ સ્વૈચ્છીક રીતે દર્શાવ્યો છે વિરોધ

  • તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજ બોયકોટ કરાયા

  • ટૂર પેકેજ બુક નહીં કરવા અનેક ટૂર સંચાલકોનો નિર્ણય

  • અન્ય પ્રવાસન સ્થળે લોકો ફરવા જાય તેવી અપીલ કરી

ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજને સુરતના અનેક ટૂર સંચાલકોએ બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા તુર્કી અને અઝરબૈજાન બન્ને દેશને બોયકોટ કરવામાં આવ્યા છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને મદદ કરતા તુર્કી અને અઝરબૈજાનમાં કોઈ ટ્રાવેલરને ભારતની એકપણ ટ્રાવેલ એજન્સી મોકલશે નહીં. ભારત પર આ બંને દેશોની ઇકોનોમી ચાલી રહી છે. જેથી આ બંને દેશોની ઇકોનોમી તોડવા માટે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો છેત્યારે સુરતના પણ અનેક ટૂર સંચાલકોએ તુર્કી અને અઝરબૈજાનના ટૂર પેકેજને બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. ટૂર સંચાલકો તુર્કી અને અઝરબૈજાન જેવા અન્ય પ્રવાસન સ્થળો પર લોકો હરવા ફરવા માટે જવા અંગે સમજાવી રહ્યા છે. આ સાથે જ અન્ય દેશ કરતા ભારતમાં લોકો ફરવા જાય તેવી અપીલ કરવામાં આવી છે.

 

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.