સુરત : દુષ્કર્મ કેસમાં 7 જ દિવસમાં ચાર્જશીટ દાખલ, એક દુકાનદાર સામે પણ ફરિયાદ

સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી.

New Update
સુરત : દુષ્કર્મ કેસમાં 7 જ દિવસમાં ચાર્જશીટ દાખલ, એક દુકાનદાર સામે પણ ફરિયાદ

સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી. માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હેવાને હત્યા કરી નાંખી હતી. દીવાળીના દિવસે ડીજે પાર્ટી જોવા ગયેલી અઢી વર્ષીય બાળકી નવા વર્ષની ઉજવણી પણ કરી શકી ન હતી. દિવાળી રાતે જ નરાધમે તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી ગુડ્ડકુમાર યાદવની ધરપકડ કરી લીધી છે. આરોપી પકડાયાના 7 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. ચાર્જશીટમાં મેઈન સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ, મેડિકલમાં એફએસએલનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઇ દારૂના નશામાં હવસખોર બની બાળકીને પીખી નાંખી હતી. પોલીસની તપાસમાં આરોપીએ વડોદના આર્શીવાદનગરમાં આવેલી જય અંબે મોબાઇલ નામની દુકાનમાંથી 300 રૂપિયાનું મેમરી કાર્ડ લીધું હતું જેમાં દુકાનના માલિકે સાત અશ્લિલ કલીપ નાંખી આપી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દુકાનદાર લકકી ઉર્ફે સાગર વિજય શાહની પણ ધરપકડ કરી છે. આરોપી ઇન્ટરનેટ પરથી અશ્લિલ કલીપો ડાઉનલોડ કરી તેને મેમરી કાર્ડમાં નાંખી આપતો હતો. સુરતની કોર્ટ 29 દિવસમાં જ આપેલા ચુકાદા બાદ હવે માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ થવાની ઘટના બની છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.

Latest Stories