સુરત : ભાવ વધારા સામે સોના-ચાંદીની ખરીદી ઉપર ગ્રાહકોનો “કાપ”, અક્ષય તૃતીયા નિમિત્તે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો..!

સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે, ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.

New Update
  • અક્ષય તૃતીયા નિમિત્તે વિવિધ ચીજવસ્તુ ખરીદવાની પરંપરા

  • અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદી કરવાની પરંપરા

  • સોના-ચાંદીના ભાવ વધારા સામે ઘરાકીમાં 50 ટકાનો ઘટાડો

  • ભાવ વધારાના પગલે વિવિધ જ્વેલર્સ શોપમાં ઘરાકી નહિવત

  • દાગીનામાં ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો

અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે સોના-ચાંદીના દાગીના સહિત અન્ય ચીજવસ્તુની ખરીદી કરવાની વર્ષો જૂની પરંપરા છેત્યારે આ વર્ષે સોના-ચાંદીમાં ભાવ વધારાના પગલે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં ઓછી ઘરાકી જોવા મળી હતી.

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસારસત્ય યુગત્રેતા યુગ અને દ્વાપર યુગ જેવા મહાન યુગોનો પ્રારંભ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાનેયુગદી તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દાન અને પુણ્યના પાવન અવસર અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના-ચાંદીની ખરીદી કરવાની પણ વર્ષો જૂની પરંપરા છેત્યારે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકેગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.

તો બીજી તરફચાંદીનો ભાવ આ વર્ષે 99 હજાર રૂપિયા કિલો છે. જે ગત વર્ષે 65થી 70 હજાર રૂપિયા કિલોના ભાવે મળતું હતુંત્યારે આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના-ચાંદીની ખરીદીમાં 40થી 50 ટકા ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીંસોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો થયો છે. સોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે નવી ઘરાકી પણ જોવા મળતી નથી.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.