સુરત : ભાવ વધારા સામે સોના-ચાંદીની ખરીદી ઉપર ગ્રાહકોનો “કાપ”, અક્ષય તૃતીયા નિમિત્તે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો..!

સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે, ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.

New Update
  • અક્ષય તૃતીયા નિમિત્તે વિવિધ ચીજવસ્તુ ખરીદવાની પરંપરા

  • અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદી કરવાની પરંપરા

  • સોના-ચાંદીના ભાવ વધારા સામે ઘરાકીમાં 50 ટકાનો ઘટાડો

  • ભાવ વધારાના પગલે વિવિધ જ્વેલર્સ શોપમાં ઘરાકી નહિવત

  • દાગીનામાં ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો 

Advertisment

અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે સોના-ચાંદીના દાગીના સહિત અન્ય ચીજવસ્તુની ખરીદી કરવાની વર્ષો જૂની પરંપરા છેત્યારે આ વર્ષે સોના-ચાંદીમાં ભાવ વધારાના પગલે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં ઓછી ઘરાકી જોવા મળી હતી.

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસારસત્ય યુગત્રેતા યુગ અને દ્વાપર યુગ જેવા મહાન યુગોનો પ્રારંભ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાને યુગદી તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દાન અને પુણ્યના પાવન અવસર અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના-ચાંદીની ખરીદી કરવાની પણ વર્ષો જૂની પરંપરા છેત્યારે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકેગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.

તો બીજી તરફચાંદીનો ભાવ આ વર્ષે 99 હજાર રૂપિયા કિલો છે. જે ગત વર્ષે 65થી 70 હજાર રૂપિયા કિલોના ભાવે મળતું હતુંત્યારે આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના-ચાંદીની ખરીદીમાં 40થી 50 ટકા ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીંસોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો થયો છે. સોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે નવી ઘરાકી પણ જોવા મળતી નથી.

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment