સુરત : ભાવ વધારા સામે સોના-ચાંદીની ખરીદી ઉપર ગ્રાહકોનો “કાપ”, અક્ષય તૃતીયા નિમિત્તે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો..!

સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે, ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.

New Update
  • અક્ષય તૃતીયા નિમિત્તે વિવિધ ચીજવસ્તુ ખરીદવાની પરંપરા

  • અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદી કરવાની પરંપરા

  • સોના-ચાંદીના ભાવ વધારા સામે ઘરાકીમાં 50 ટકાનો ઘટાડો

  • ભાવ વધારાના પગલે વિવિધ જ્વેલર્સ શોપમાં ઘરાકી નહિવત

  • દાગીનામાં ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો 

Advertisment

અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે સોના-ચાંદીના દાગીના સહિત અન્ય ચીજવસ્તુની ખરીદી કરવાની વર્ષો જૂની પરંપરા છેત્યારે આ વર્ષે સોના-ચાંદીમાં ભાવ વધારાના પગલે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં ઓછી ઘરાકી જોવા મળી હતી.

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસારસત્ય યુગત્રેતા યુગ અને દ્વાપર યુગ જેવા મહાન યુગોનો પ્રારંભ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાને યુગદી તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દાન અને પુણ્યના પાવન અવસર અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના-ચાંદીની ખરીદી કરવાની પણ વર્ષો જૂની પરંપરા છેત્યારે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકેગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.

તો બીજી તરફચાંદીનો ભાવ આ વર્ષે 99 હજાર રૂપિયા કિલો છે. જે ગત વર્ષે 65થી 70 હજાર રૂપિયા કિલોના ભાવે મળતું હતુંત્યારે આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના-ચાંદીની ખરીદીમાં 40થી 50 ટકા ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીંસોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો થયો છે. સોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે નવી ઘરાકી પણ જોવા મળતી નથી.

Advertisment
Read the Next Article

સુરતની રેતીનો ઉપયોગ કરી ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું સી.આર.પાટીલનું “સેન્ડ પોટ્રેટ”

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું

New Update
  • ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું ચિત્ર

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરાયું

  • સુરતની રેતી વડે એક અઠવાડીયામાં બનાવ્યું સેન્ડ પોટ્રેટ

  • આગેવાનોએ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કર્યું

  • અગાઉ ચિત્રકારે અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા 

Advertisment W3.CSS

ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્ની દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીંબાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા છે.

બાબુ એડકકુન્ની સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે. જે માટે એક અઠવાડિયા જેટલો લાગ્યો હતોત્યારે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને સેન્ડ પોટ્રેટ અર્પણ કરાતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો.