સુરત : મહુવા-ખારગેટના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેતા વિવાદ..!

ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

New Update
  • ભાવનગરના મહુવા-ખારગેટના 185 વર્ષ જૂના મંદિરનો મામલો

  • સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવાય

  • મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો થયો આક્ષેપ

  • શરમજનક ઘટના જણાવી સુરતના હરિભક્તોમાં રોષ જોવા મળ્યો

  • સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે નોંધાવશે વિરોધ પ્રદર્શન

Advertisment W3.CSS

ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં  આવેલ 185 વર્ષ જુના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા સુરતમાં વિવાદ સર્જાયો છે. જેમાં મૂર્તિ રાતોરાત મૂળ સ્થાન પરથી હટાવી લેતા સુરતમાં રહેતા હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો શ્રી અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્વામિનારાયણદેવ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીંમંદિરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી મંદિર રદ્દ કરી નાખતા વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે. આ સાથે જ આગામી રવિવારના રોજ સમગ્ર સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે રેલી તેમજ વિરોધ પ્રદર્શન યોજી પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

 

Read the Next Article

સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી

સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.

New Update
  • સુરતના કામરેજનો ચકચારી બનાવ

  • વાવ ગામે શ્વાન બાળકીને ખેંચી ગયું

  • માતા રસોઈ બનાવતી હતી એ દરમ્યાન બની ઘટના

  • હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નહીં

  • પોલીસે ડ્રોન કેમેરાની લીધી મદદ

Advertisment W3.CSS
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી ત્યારે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે.હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન પત્ની તીતાબેન ગતરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી.તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને ડોટ લગાવી હતી. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા ૧૦૦ થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ ડોટ મૂકી હતી. શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.
પોલીસે બાળકીને શોધવા ફાયર બ્રિગેડ અને ડોગ સ્કોડની પણ મદદ દીધી હતી. સવારથી ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે .છતાં હજુ સુધી બાળકીનો કોઈ પતો મળ્યો નથી.પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.ઝાડી ઝાંખરામાં ડ્રોન થી ચર્ચ કરવામાં આવી રહ્યું છે.ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે.