સુરત : મહુવા-ખારગેટના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેતા વિવાદ..!

ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

New Update
  • ભાવનગરના મહુવા-ખારગેટના 185 વર્ષ જૂના મંદિરનો મામલો

  • સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવાય

  • મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો થયો આક્ષેપ

  • શરમજનક ઘટના જણાવી સુરતના હરિભક્તોમાં રોષ જોવા મળ્યો

  • સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે નોંધાવશે વિરોધ પ્રદર્શન

ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં  આવેલ 185 વર્ષ જુના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા સુરતમાં વિવાદ સર્જાયો છે. જેમાં મૂર્તિ રાતોરાત મૂળ સ્થાન પરથી હટાવી લેતા સુરતમાં રહેતા હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો શ્રી અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્વામિનારાયણદેવ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીંમંદિરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી મંદિર રદ્દ કરી નાખતા વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે. આ સાથે જ આગામી રવિવારના રોજ સમગ્ર સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે રેલી તેમજ વિરોધ પ્રદર્શન યોજી પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.