સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.

Read the Next Article

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ,વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

New Update
  • સ્મીમેર હોસ્પિટલની બેદરકારી

  • દર્દીની સારવારમાં દાખવી બેદરકારી

  • હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ

  • મનપા દ્વારા કરવામાં આવી કાર્યવાહી

  • મનપાએ આપ્યા તપાસના આદેશ 

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી નહોવાનો એક વિડીયો વાયરલ થયો હતો,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી મહાનરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું,અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી,અને હોસ્પિટલનાRMOને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું.તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી.