સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.

Read the Next Article

સુરત : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈસ્કોન મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરાયું…

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, ત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.

New Update
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યના પ્રવાસે

  • પહેલા નોરતે અમિત શાહ સુરત શહેરના મહેમાન બન્યા

  • ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં તેઓએ હાજરી આપી

  • આ મંદિર સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે : અમિત શાહ

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પણ ઉપસ્થિતી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છેત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા. તેમની સાથે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે પધાર્યા છેતેઓ ગત તા. 21 રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતાજ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીશિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાવન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલસાંસદ મુકેશ દલાલસ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓ સુરત શહેરના એન્થમ સર્કલ નજીક આવેલ ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.

અમિત શાહે ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કેઆ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીંપરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે. તેમની સાથે ઉપસ્થિત કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવી સૌનો આભાર માન્યો હતો. સુરત બાદ અમિત શાહ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેતાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ તુરંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસે રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે.