સુરત : નવસારીના યુવકનું હોસ્પિટલના તબીબની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.

New Update
  • ડોક્ટરની બેદરકારીનો મામલો

  • નવસારીના યુવકે ગુમાવ્યો જીવ

  • પેટના દર્દથી પીડિત યુવકનું નીપજ્યું હતું મોત

  • ડોકટરે ઇન્જેક્શન આપ્યા બાદ પગમાં હલનચલન થયું બંધ

  • ધનિષ્ટ સારવાર બાદ પગ કાપવો પડ્યો

  • આખરે યુવકનું નીપજ્યું મોત 

  • પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આરોપ

નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.

નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટના દુખાવાની ફરિયાદ હતી,અને દર્દથી પીડાઈ રહ્યા હતા.તેઓને સારવાર માટે નવેમ્બર માસમાં નવસારીની INS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,કૌશિક પટેલના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સુરતના સેલ્બી હોસ્પિટલના તબીબ દ્વારા INS હોસ્પિટલમાં કૌશિકને પગમાં ઈન્જેકશન આપ્યું હતું,ત્યાર બાદ કૌશિકની તબિયત વધુ લથડી હતી.અને પેટમાં ઇન્ફેક્શન વધવાની સાથે જમણા પગમાં હલનચલન બંધ થઈ ગયુ હતુ.

ત્યારબાદ કૌશિકને ધનિષ્ટ સારવાર માટે સુરત સેલ્બી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.14 દિવસની સારવારમાં તેના પેટ અને પગમાં સર્જરી કરવામાં આવી હતી.અને પુનઃ સારવાર માટે નવસારીના INS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો,જોકે કૌશિકના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધારો ન થતા તેનો ક્ષતિગ્રસ્ત પગ સર્જરી કરીને કાપવામાં આવ્યો હતો.અને તેના ત્રણ જ દિવસમાં કૌશિકનું મોત નીપજ્યું હતુપરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ કૌશિકનો જીવ બચાવી ન શક્યા,અને ડોક્ટરની બેદરકારીએ કૌશિકનો જીવ લીધો હોવાનો આરોપ લગાવીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

Read the Next Article

સુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ

એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર

New Update
  • એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ અને લૂંટનો મામલો

  • કારખાનામાં કામ કરતા પૂર્વ કારીગરે જ રચ્યું કાવતરૂં

  • ફાયરિંગ કરીને ઘટનાને આપ્યો હતો અંજામ

  • કારીગરોના મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ

  • પોલીસે એક આરોપીની ગુરુગ્રામથી કરી ધરપકડ 

સુરતના પુણામાં આવેલ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગલૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો.તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કેઆ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતોજે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતીપરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકેબાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.અને  પોલીસે 41 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં હજી પણ મુખ્ય આરોપી દિલીપસિંહ ફરાર છે,તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.