-
ડોક્ટરની બેદરકારીનો મામલો
-
નવસારીના યુવકે ગુમાવ્યો જીવ
-
પેટના દર્દથી પીડિત યુવકનું નીપજ્યું હતું મોત
-
ડોકટરે ઇન્જેક્શન આપ્યા બાદ પગમાં હલનચલન થયું બંધ
-
ધનિષ્ટ સારવાર બાદ પગ કાપવો પડ્યો
-
આખરે યુવકનું નીપજ્યું મોત
-
પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આરોપ
નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.
નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટના દુખાવાની ફરિયાદ હતી,અને દર્દથી પીડાઈ રહ્યા હતા.તેઓને સારવાર માટે નવેમ્બર માસમાં નવસારીની INS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,કૌશિક પટેલના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સુરતના સેલ્બી હોસ્પિટલના તબીબ દ્વારા INS હોસ્પિટલમાં કૌશિકને પગમાં ઈન્જેકશન આપ્યું હતું,ત્યાર બાદ કૌશિકની તબિયત વધુ લથડી હતી.અને પેટમાં ઇન્ફેક્શન વધવાની સાથે જમણા પગમાં હલનચલન બંધ થઈ ગયુ હતુ.
ત્યારબાદ કૌશિકને ધનિષ્ટ સારવાર માટે સુરત સેલ્બી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.14 દિવસની સારવારમાં તેના પેટ અને પગમાં સર્જરી કરવામાં આવી હતી.અને પુનઃ સારવાર માટે નવસારીના INS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો,જોકે કૌશિકના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધારો ન થતા તેનો ક્ષતિગ્રસ્ત પગ સર્જરી કરીને કાપવામાં આવ્યો હતો.અને તેના ત્રણ જ દિવસમાં કૌશિકનું મોત નીપજ્યું હતુ, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ કૌશિકનો જીવ બચાવી ન શક્યા,અને ડોક્ટરની બેદરકારીએ કૌશિકનો જીવ લીધો હોવાનો આરોપ લગાવીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.