સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો

હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો

New Update
સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો

હાલમાં ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે, જ્યાં હાલમાં રોજના 70 જેટલા કેસો વાયરલ ઇન્ફેકશનના સામે આવી રહ્યા છે.

હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને માવઠું પડ્યું હતું. હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો. જેમાં શરદી, ખાસી, જેવા લક્ષણોવાળા દર્દીઓ સારવાર માટે આવતા હોવાની માહિતી મળી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે, ઋતુ બદલાઈ રહી છે, તેમજ હાલમાં માવઠું પણ પડ્યું હતું. જેને લઈને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં રોજના 70 જેટલા કેસો વાયરલ ઇન્ફેકશનના સામે આવી રહ્યા છે, ત્યારે ડોક્ટરની સલાહ વિના લોકોએ એન્ટી બાયોટીક દવા લેવાનું ટાળવું જોઈએ.

Latest Stories