સુરત : જેસીપી પ્રવિણ મલ છે સારા ગાયક, જુઓ કેવી રીતે આપી શહિદોને શ્રધ્ધાજલિ
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની છાપ એક કડક વ્યકતિ તરીકેની હોય છે પણ કેટલાય અધિકારીઓ એકદમ સરળ અને સાહજીક હોય છે
BY Connect Gujarat23 Oct 2021 11:58 AM GMT
X
Connect Gujarat23 Oct 2021 11:58 AM GMT
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની છાપ એક કડક વ્યકતિ તરીકેની હોય છે પણ કેટલાય અધિકારીઓ એકદમ સરળ અને સાહજીક હોય છે આવું જ એક વ્યકતિત્વ એટલે નર્મદા જિલ્લાના પુર્વ એસપી અને હાલ સુરતમાં જેસીપી તરીકે ફરજ બજાવતાં પ્રવિણ મલ.
સુરત પોલીસ તરફથી કોરોનાની મહામારી દરમિયાન જીવ ગુમાવનારા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. આ પ્રસંગે કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ પુર્ણ થવાની સિધ્ધિને પણ બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરતના જેસીપી પ્રવિણ મલએ યે દોસ્તી હમ નહિ તોડેગેનું ગીત ગાઇને પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
Next Story