સુરત : છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં 1500થી વધુ વાહનચાલકો દંડાયા…

સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

New Update

ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની ખેર નહીં

Advertisment W3.CSS

અનેક વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગની લાલ આંખ

છેલ્લા 3 દિવસથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ

ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી

વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા પોલીસની અપીલ

સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત શહેર તથા જિલ્લામાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની હવે ખેર નહીં. કારણ કેવધતાં જતાં અકસ્માતોના બનાવોને નિવારવા સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગ સાઈડ પર વાહન હંકારવુંઓવર સ્પીડ વાહન દોડાડવુંનો પાર્કિંગમાં વાહન પાર્ક કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઈડ જનાર 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છેજ્યારે નો પાર્કિંગમાં વાહન પાર્કિંગ કરનાર 2 હજારથી વધુ વાહન ચાલકો દંડાયા છે. તો બીજી તરફસ્પીડ ગનના રોજેરોજ આશરે 1,400 જેટલા કેસ સામે આવી રહ્યા છેત્યારે હાલ તો સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

 

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.