સુરત : છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં 1500થી વધુ વાહનચાલકો દંડાયા…

સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

New Update

ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની ખેર નહીં

અનેક વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગની લાલ આંખ

છેલ્લા 3 દિવસથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ

ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી

વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા પોલીસની અપીલ

સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત શહેર તથા જિલ્લામાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની હવે ખેર નહીં. કારણ કેવધતાં જતાં અકસ્માતોના બનાવોને નિવારવા સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગ સાઈડ પર વાહન હંકારવુંઓવર સ્પીડ વાહન દોડાડવુંનો પાર્કિંગમાં વાહન પાર્ક કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઈડ જનાર 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છેજ્યારે નો પાર્કિંગમાં વાહન પાર્કિંગ કરનાર 2 હજારથી વધુ વાહન ચાલકો દંડાયા છે. તો બીજી તરફસ્પીડ ગનના રોજેરોજ આશરે 1,400 જેટલા કેસ સામે આવી રહ્યા છેત્યારે હાલ તો સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.