સુરત :  દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમની ધરપકડ કરતી પોલીસ

સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી પોલીસ તપાસમાં શખ્સ મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું

New Update
  • દેશી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

  • વરાછા પોલીસે કરી યુવકની ધરપકડ

  • દેશી પિસ્તોલ અને કાર્ટીઝ પોલીસે કર્યા જપ્ત

  • મોજ શોખ માટે રાખતો હતો હથિયાર

  • યુપીથી મંગાવ્યું હતું હથિયાર  

Advertisment

સુરત વરાછા પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,પોલીસ તપાસમાં આરોપી મોજ શોખ માટે હથિયાર રાખતો હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં લાલજી ઉર્ફે લાલો પરમાર મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં લાલજી ઉર્ફે લાલો પરમાર રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.લાલજીએ આ પિસ્તોલ ઉત્તર પ્રદેશના માનસર ખાતેથી મંગાવી હતી.પોલીસે પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ મળી રૂપિયા 10 હજાર 300નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment