સુરત :  દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમની ધરપકડ કરતી પોલીસ

સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી પોલીસ તપાસમાં શખ્સ મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું

New Update
  • દેશી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

  • વરાછા પોલીસે કરી યુવકની ધરપકડ

  • દેશી પિસ્તોલ અને કાર્ટીઝ પોલીસે કર્યા જપ્ત

  • મોજ શોખ માટે રાખતો હતો હથિયાર

  • યુપીથી મંગાવ્યું હતું હથિયાર  

સુરત વરાછા પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,પોલીસ તપાસમાં આરોપી મોજ શોખ માટે હથિયાર રાખતો હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં લાલજી ઉર્ફે લાલો પરમાર મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં લાલજી ઉર્ફે લાલો પરમાર રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.લાલજીએ આ પિસ્તોલ ઉત્તર પ્રદેશના માનસર ખાતેથી મંગાવી હતી.પોલીસે પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ મળી રૂપિયા 10 હજાર 300નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ

એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર

New Update
  • એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ અને લૂંટનો મામલો

  • કારખાનામાં કામ કરતા પૂર્વ કારીગરે જ રચ્યું કાવતરૂં

  • ફાયરિંગ કરીને ઘટનાને આપ્યો હતો અંજામ

  • કારીગરોના મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ

  • પોલીસે એક આરોપીની ગુરુગ્રામથી કરી ધરપકડ 

સુરતના પુણામાં આવેલ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગલૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો.તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કેઆ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતોજે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતીપરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકેબાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.અને  પોલીસે 41 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં હજી પણ મુખ્ય આરોપી દિલીપસિંહ ફરાર છે,તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.