સુરત : ડાયમંડના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખનો હીરો ખરીદીને છેતરપિંડીની ઘટનામાં આરોપીની ધરપકડ કરતી પોલીસ

સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી.

New Update
  • હીરા વેપારી સાથે છેતરપિંડીનો મામલો

  • હીરા દલાલે રૂ.19.33 લાખની કરી હતી છેતરપિંડી

  • હીરો ખરીદીને થયો હતો ફરાર

  • વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી ફરિયાદ

  • ઇકો સેલે આરોપીની કરી ધરપકડ   

સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી.જે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા હીરાના વેપારી પાસેથી રૂપિયા 19 લાખ 33 હજાર 863નો હીરો ખરીદ્યો હતો,જોકે ત્યારબાદ હીરાનું પેમેન્ટ ચુકવવાને બદલે વિપુલ ફરાર થઇ ગયો હતો,જે ઘટના અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હીરાના વેપારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.જે સંદર્ભે ઇકો સેલમાં તપાસ સોંપવામાં આવી હતી,ઇકો સેલની ટીમે ઓલપાડથી આરોપી વિપુલ પટેલની ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીની અન્ય કોઈ ગુન્હામાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Read the Next Article

સુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ

એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર

New Update
  • એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ અને લૂંટનો મામલો

  • કારખાનામાં કામ કરતા પૂર્વ કારીગરે જ રચ્યું કાવતરૂં

  • ફાયરિંગ કરીને ઘટનાને આપ્યો હતો અંજામ

  • કારીગરોના મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ

  • પોલીસે એક આરોપીની ગુરુગ્રામથી કરી ધરપકડ 

સુરતના પુણામાં આવેલ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગલૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો.તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કેઆ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતોજે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતીપરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકેબાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.અને  પોલીસે 41 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં હજી પણ મુખ્ય આરોપી દિલીપસિંહ ફરાર છે,તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.