સુરત : મોડીફાઇડ કાર-બુલેટ તેમજ વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી...

તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, ત્યારે સુરત શહેરમાં પણ વધતાં અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ સતર્ક થયું છે.

New Update
  • તાજેતરમાં રાજ્યમાં અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવી

  • વધતાં અકસ્માતોની ઘટના પર અંકુશ લાવવા પોલીસ સતર્ક

  • ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં લોકો સામે તવાઈ બોલાવાય

  • પોલીસે વ્હાઈટ હેલોજન બલ્બવાવાળા 98 વાહનો જપ્ત કર્યા

  • પોલીસની કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં ફફડાટ

તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છેત્યારે સુરત શહેરમાં પણ વધતાં અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ સતર્ક થયું છે. જેમાં પોલીસે કારબાઈક અને વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનચાલકો સામે તવાઈ બોલાવી હતી.

મોડીફાઇડ વાહનોના કારણે દુર્ઘટના સર્જાતા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનો અને ધ્વનિ પ્રદૂષણ કરતી બુલેટ સામે રાજ્ય સરકારના આદેશને અનુસરતા સુરત શહેર પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અને વાહનમાં આગ જેવી ઘટનાઓ રોકવા માટે સુરત પોલીસે સમગ્ર સુરતમાંથી 98 જેટલી કાર અને બાઈક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. અનેક વાહનચાલકો તેમના વાહનોમાં વ્હાઈટ હેલોજન બલ્બ સ્થાપિત કરે છેજે માત્ર લાઈટિંગ સિસ્ટમને બદલવાનું માધ્યમ નથી. પરંતુ મોટાભાગે આગ અને ગંભીર અકસ્માતોનું કારણે બને છે.

કેટલાક કિસ્સાઓમાં આ હેલોજન બલ્બના કારણે વાહન ઝડપથી ગરમ થઈ જતાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના સમાજ અને વાહન વ્યવસ્થાને ગંભીર ખતરામાં મુકે છેજેના પગલે રાજ્ય સરકાર દ્વારા હેલોજન બલ્બ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના આદેશ છતાં કેટલાક લોકો હેલોજન બલ્બ અને મોડીફાઇડ વાહનોનો ઉપયોગ ચાલુ રાખતા હતા. જેમાં મોટાભાગની કાર અને બુલેટ બાઇક ધ્વનિ પ્રદૂષણ અને આગ-અકસ્માતોના મુખ્ય કારણ બની રહી હતી. આવા તત્વો સામે પગલાં લેવા સુરત પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Read the Next Article

સુરત : સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીન બંધ, દર્દીઓને 5 કલાક રાહ જોવાનો વારો આવ્યો..!

સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે.

New Update
  • શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી

  • ડાયાલિસિસના 14માંથી 4 મશીનો કેટલાક સમયથી બંધ

  • રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર

  • 4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય : RMO

  • વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે : કેતન નાયક 

સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીનો બંધ હોવાથી રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ડાયાલિસિસ વિભાગમાં 14 મશીનો મુકવામાં આવ્યા છે. જોકેતેમાંથી 2 મશીન ચેપી રોગના દર્દીઓ માટેના છેઅને તે સિવાયના 12 મશીન પૈકી 4 મશીન અલગ-અલગ ખામીઓના કારણે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં છે. સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે. હાલ 4 મશીનો બંધ હોવાથી દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.

સમગ્ર મામલે તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય છેજે બાબતે મેઈન્ટેનન્સ કરવા કહી દેવાયું છે. હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી છેઅને વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કેતમામ મશીનો ચાલુ હોય ત્યારે રોજના 30 ડાયાલિસિસ થતા હતા. તેની સામે હાલ 4 મશીન બંધ હોવાથી 25 જેટલા દર્દીઓના જ ડાયાલિસિસ થઈ રહ્યા છે. જેથી 4થી 5 ડાયાલિસિસના દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવાનો વારો આવી રહ્યો છે.

Latest Stories